Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ખેડૂતોને લોન : એસબીઆઇ અને અદાણી કૅપિટલે કર્યો કરાર

ખેડૂતોને લોન : એસબીઆઇ અને અદાણી કૅપિટલે કર્યો કરાર

03 December, 2021 02:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અદાણી કૅપિટલ અદાણી ગ્રુપની નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં ખેડૂતોને લોન પૂરી પાડવા માટે સૌથી મોટી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)એ અદાણી કૅપિટલ સાથે સહયોગ સાધ્યો છે. 
એસબીઆઇએ ગુરુવારે નિવેદનમાં જણાવ્યા અનુસાર ખેડૂતોને ટ્રૅક્ટર, ખેતીનાં ઓજારો ખરીદવા અર્થે લોન અપાવવા અદાણી કૅપિટલ પ્રાઇવેટ લિમિટેડ સાથે મુખ્ય કરાર કર્યો છે. અદાણી કૅપિટલ અદાણી ગ્રુપની નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની છે. 
બૅન્કના ચૅરમૅન દિનેશ ખારાએ કહ્યું કે આ સહયોગની મદદથી એસબીઆઇના ગ્રાહકોની સંખ્યા વધશે તથા દેશમાં વધુ ખેડૂતો સુધી પહોંચી શકાશે. આગામી સમયમાં વધુ નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ સાથે કામ કરવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2021 02:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK