Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > તહેવારો પહેલાં ખાંડના ભાવ નિયંત્રણમાં લેવા સરકાર આયાત-ડ્યુટીમાં મોટો ઘટાડો કરશે

તહેવારો પહેલાં ખાંડના ભાવ નિયંત્રણમાં લેવા સરકાર આયાત-ડ્યુટીમાં મોટો ઘટાડો કરશે

Published : 19 August, 2026 07:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચોમાસાની ખેંચ અને એલ નીન્યોની અસરથી ઉત્પાદન ઘટવાની ભીતિ વચ્ચે સ્થાનિક બજારમાં પુરવઠો વધારવા અત્યંત મહત્ત્વનો નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિશ્વમાં ખાંડનું ઉત્પાદન કરતા દેશોમાં ભારત બીજો સૌથી મોટો દેશ છે. જોકે તાજેતરમાં સ્થાનિક બજારમાં ખાંડના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે. આગામી તહેવારોની સીઝનમાં ખાંડની માગણી વધવાની શક્યતા છે. આથી વધતા ભાવને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર ખાંડની આયાત પર લાગતો ૧૦૦ ટકા ટૅક્સ ઘટાડવા અથવા સંપૂર્ણપણે નાબૂદ કરવાના અત્યંત મહત્ત્વના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

સ્થાનિક બજારમાં ખાંડનો પૂરતો પુરવઠો જાળવી રાખવા સરકારી અધિકારીઓ આ દિશામાં કામ કરી રહ્યા છે. વૈશ્વિક બજારમાં પણ અત્યારે ખાંડની અછત વર્તાઈ રહી છે. ખરાબ હવામાન અને ઍલ નીન્યોની અસરને કારણે પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. આ જ કારણસર ન્યુ યૉર્ક ફ્યુચર્સમાં પણ ખાંડના ભાવ એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. ભારતીય હવામાન ખાતાના અહેવાલ મુજબ ભારતમાં પણ શેરડીના પાક માટે જરૂરી વરસાદ સામાન્ય કરતાં ૧૩ ટકા ઓછો નોંધાયો છે.



જૂન મહિનાના અંત સુધીમાં આ વરસાદની ઘટ ૪૦ ટકાથી વધુ હતી જેના કારણે શેરડીની વાવણી ખૂબ જ મોડી થઈ છે. જોકે અન્ન અને વાણિજ્ય મંત્રાલયે હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2026 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK