Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બ્રેક-અપ થઈ ગયા પછી હવે પેચ-અપ કરવાનું મન છે

બ્રેક-અપ થઈ ગયા પછી હવે પેચ-અપ કરવાનું મન છે

22 October, 2021 03:15 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

મારી ઉંમર જસ્ટ બાવીસ વર્ષ છે. ચાર વર્ષની રિલેશનશિપનો બે મહિના પહેલાં અંત આવ્યો. થોડાક મહિના પહેલાં એટલો ઝઘડો થયો એમાં જેમતેમ બોલવાનું થયું. શરૂમાં તેની પઝેસિવનેસમાં પ્રેમ દેખાતો પણ પછીથી ગૂંગળામણ થવા લાગી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મારી ઉંમર જસ્ટ બાવીસ વર્ષ છે. ચાર વર્ષની રિલેશનશિપનો બે મહિના પહેલાં અંત આવ્યો. થોડાક મહિના પહેલાં એટલો ઝઘડો થયો એમાં જેમતેમ બોલવાનું થયું. શરૂમાં તેની પઝેસિવનેસમાં પ્રેમ દેખાતો પણ પછીથી ગૂંગળામણ થવા લાગી. એક નબળી ક્ષણે મેં બ્રેક અપ કરી નાખ્યું. એ વાતને બે મહિના થઈ ગયા અને હવે તેને મિસ કરું છું. પઝેસિવનેસ અને પ્રેમમાં મને ભેદ કરતા નથી આવડ્યો એવું મારાં ફ્રેન્ડ્સનું માનવું છે. જોકે બે મહિનામાં તેણે મને એક વાર પણ ફોન નથી કર્યો. શું તે મને ભૂલીને આગળ વધી ગયો હશે? કે પછી તે પણ હું પહેલ કરું એની રાહ જોતો હશે? બ્રેકઅપના અનુભવી ફ્રેન્ડ્સ મને કહે છે કે બ્રેક-અપ થયા પછી પડેલી ગાંઠ ઉકેલાતી નથી. બીજું, હું પેચ-અપ કરવા જાઉં અને તેને ફરીથી ન જોડાવું હોય તો શું?

એક વાર સંબંધ તૂટ્યા પછી ફરીથી પૅચ-અપ કરાય કે ન કરાય એના કોઈ યુનિવર્સલ નિયમો નથી. દરેક સંબંધ યુનિક હોય છે અને એટલે એના તૂટવાના કારણો પણ યુનિક હોવાનાં. ‘હું તેના વિના રહી નહીં શકું’ એવું લાગતું હોવાથી ફરીથી એ જ પ્રેમસંબંધમાં જોડાવું એ મને અંગત રીતે યોગ્ય કારણ નથી લાગતું. ઇન ફૅક્ટ, જ્યારે કોઈ ઝઘડો ન હોય અને બધું જ સમૂસૂતરું ચાલતું હોય ત્યારે પણ ‘તારા વિના હું રહી નહીં શકું’ એવી લાગણી સ્વસ્થતાની નિશાની નથી.



સંબંધો તૂટ્યા પછી ઘણી વાર આપણને જે-તે વ્યક્તિની ખરી કિંમત સમજાતી હોય છે. પાછળથી સમજાય છે કે એ સંબંધ તૂટ્યો એમાં તમારી પોતાની ત્રુટિઓ હતી. જો આવી ત્રુટિ નજરે પડે તો સામેવાળો પહેલ કરે એની રાહ જોયા વિના જ માફી માગી લેવામાં કંઈ નાનમ નથી, પરંતુ હું તેને બદલી નાખીશ, તેની પઝેસિવનેસ હવે ઓછી થઈ જશે કે તેનામાં આ બ્રેક-અપને કારણે થોડોક બદલાવ આવી ગયો હશે એવી ધારણાઓ બાંધીને ફરીથી પૅચ-અપ કરવાની ભૂલ ન કરાય. કોઈ પણ બ્રેક-અપને ફરીથી પૅચ-અપ કરવા ત્યારે જ જવાય જ્યારે તમને એ સંબંધમાંથી પ્રેમ, કાળજી અને ભીની લાગણીઓ ઉપરાંત તમને અને તમારા વ્યક્તિત્વને નિખારવાનું કામ કરતું હોય. જો આવું હોય તો તેનો રિસ્પોન્સ શું હશે એની ચિંતા કર્યા વિના સામેથી એક વાર ફોન કરીને પહેલ કરી લેવામાં ખચકાટ ન રાખવો જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2021 03:15 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK