Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૧૪ વર્ષ થઈ ગયાં છે અને અમે હજી પણ તમારા વગર ખોવાયેલાં છીએ મા

૧૪ વર્ષ થઈ ગયાં છે અને અમે હજી પણ તમારા વગર ખોવાયેલાં છીએ મા

Published : 26 March, 2026 11:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોની કપૂરઅને તેની પહેલી પત્ની મોનાનાં સંતાનો અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કપૂરે સ્વર્ગસ્થ મમ્મીને ૧૪મી પુણ્યતિથિ પર ભાવુક રીતે યાદ કરી

અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કપૂરે સ્વર્ગસ્થ મમ્મીને ૧૪મી પુણ્યતિથિ પર ભાવુક રીતે યાદ કરી

અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કપૂરે સ્વર્ગસ્થ મમ્મીને ૧૪મી પુણ્યતિથિ પર ભાવુક રીતે યાદ કરી


બોની કપૂર અને તેની પહેલી પત્ની મોના કપૂરનાં સંતાનો અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કપૂરે ગઈ કાલે પોતાની સ્વર્ગસ્થ મમ્મીને તેની ૧૪મી પુણ્યતિથિ પર ભાવુક રીતે યાદ કરી. અંશુલાએ પોતાની પોસ્ટમાં દુઃખ અને મમ્મીની ધૂંધળી થઈ રહેલી યાદ વિશે લખ્યું કે ‘મને યાદ છે કે તેઓ મને ખૂબ પ્રેમ કરતાં હતાં, પરંતુ એ પ્રેમ કેવો લાગતો હતો એ ક્યારેક યાદ નથી રહેતું અને એ પણ એક અલગ પ્રકારનું નુકસાન છે. હું ડરું છું કે હું તેમને બીજી વાર ગુમાવી રહી છું. તસવીરો મારી મમ્મીનો ચહેરો તો બતાવે છે, પરંતુ તેમનો અવાજ, તેમના ગળે મળવાની ઉષ્મા અથવા તેમની સાથે હોવાની લાગણીને પાછી લાવી શકતી નથી. જો લાગણીઓને વારંવાર યાદ ન કરવામાં આવે તો એ પણ ધીમે-ધીમે ધૂંધળી થઈ જાય છે.’

અર્જુન કપૂરે પણ પોતાની મમ્મીને યાદ કરતાં સોશ્યલ મીડિયામાં લખ્યું, ‘૧૪ વર્ષ થઈ ગયાં છે અને અમે હજી પણ તમારા વગર ખોવાયેલાં છીએ મા.’


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK