નાગ અશ્વિન દિગ્દર્શિત ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ નું નિર્માણ કરનાર વૈજયંતી મુવીઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, "આધિકારિક રીતે જાહેરાત કરવામાં આવે છે કે દીપિકા પાદુકોણ ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ ની આગામી સિક્વલનો ભાગ નહીં હોય.
પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ કલ્કિમાં (તસવીર: મિડ-ડે)
‘કલ્કી 2898 એડી’ ના નિર્માતાઓએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે બૉલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હવે ફિલ્મના બીજા ભાગમાં નહીં હોય. અગાઉ, દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકા પાદુકોણને તેની ફિલ્મ ‘સ્પિરિટ’ માંથી દૂર કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકાને કામની પ્રતિબદ્ધતાને કારણે બન્ને ફિલ્મોમાંથી દૂર કરવામાં આવી હતી. હવે, પ્રશ્નો ઉભા થયા છે કે શું વધતી માગને કારણે દીપિકા પાદુકોણને આ ફિલ્મોમાંથી દૂર કરવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસોથી, દિગ્દર્શકો અને નિર્માતાઓ ખુલ્લેઆમ ફિલ્મ ઉદ્યોગમાં સ્ટાર કલ્ચર અને તેની માગણીઓ પ્રત્યે પોતાનો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
‘કલ્કી 2898 એડી’ ના નિર્માતાઓએ શું કહ્યું?
ADVERTISEMENT
નાગ અશ્વિન દિગ્દર્શિત ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ નું નિર્માણ કરનાર વૈજયંતી મુવીઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, "આધિકારિક રીતે જાહેરાત કરવામાં આવે છે કે દીપિકા પાદુકોણ ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ ની આગામી સિક્વલનો ભાગ નહીં હોય. ઘણી વિચાર-વિમર્શ પછી, અમે અલગ થવાનો નિર્ણય લીધો છે. અમારી પહેલી ફિલ્મથી લાંબી મુસાફરી છતાં, અમને ભાગીદારી મળી શકી નથી, અને ‘કલ્કી 2898 એડી’ જેવી ફિલ્મ પ્રતિબદ્ધતા અને તેનાથી પણ વધુને પાત્ર છે. અમે દીપિકાને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવીએ છીએ.”
શું દીપિકાની માગણીઓનું કારણ શું હતું?
અહેવાલ મુજબ, દીપિકા પાદુકોણની વધતી માગણીઓને કારણે કલ્કીના નિર્માતાઓએ આ નિર્ણય લેવો પડ્યો. અહેવાલ મુજબ, દીપિકાએ 25 ટકા ફી વધારો માગ્યો હતો. વધુમાં, અભિનેત્રીએ પ્રતિ શૂટ માત્ર આઠ કલાક કામ કરવાનો આગ્રહ રાખ્યો હતો. નિર્માતાઓ દીપિકાને બદલામાં એક લક્ઝરી વૅનિટી વૅન આપવા પણ તૈયાર હતા, પરંતુ તેણે ના પાડી. અહેવાલ મુજબ, પ્રભાસે ફી વધારો માગ્યો ન હતો. વધુમાં, દીપિકાની ટીમે માગ કરી હતી કે 25 લોકો તેની સાથે મુસાફરી કરશે, અને તેને 5-સ્ટાર હૉટેલનું જ ભોજન પણ પૂરું પાડવામાં આવે. આ માગણીએ નિર્માતાઓને મૂંઝવણમાં મૂકી દીધા. ત્યારબાદ તેમણે ઉપાય કાઢ્યો કે દીપિકા આ ફિલ્મનો ભાગ નહીં બને.
This is to officially announce that @deepikapadukone will not be a part of the upcoming sequel of #Kalki2898AD.
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2025
After careful consideration, We have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership.
And a film like…
શું નિર્માતાઓ પર સ્ટાર્સનો બોજ વધી રહ્યો છે?
ફિલ્મ જગતના અનેક ટોચના દિગ્દર્શકો અને નિર્માતાઓએ તાજેતરના દિવસોમાં સ્ટાર્સની વધતી માગ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. આમાં ફરાહ ખાન, આમિર ખાન, રાકેશ રોશન, સંજય ગુપ્તા, અનુરાગ કશ્યપ અને કરણ જોહર જેવા નામોનો સમાવેશ થાય છે. અભિનેતા અને નિર્માતા આમિરે કહ્યું, "સ્ટાર્સને ઓળખવા જોઈએ, પરંતુ નિર્માતાઓને નહીં. મને લાગે છે કે જો ડ્રાઇવરો અને હેલ્પર મારા માટે કામ કરી રહ્યા છે, તો નિર્માતા તેમને પોતાના ખિસ્સામાંથી કેમ ચૂકવશે? નિર્માતાઓએ ફક્ત જરૂરી હોય ત્યાં જ ખર્ચ કરવો જોઈએ, જેમાં મેકઅપ, વાળ અને કોસ્ચ્યુમનો સમાવેશ થાય છે. ખાનગી ડ્રાઇવરો અને હેલ્પરોનો પણ ખર્ચો તેઓ ચૂકવે યોગ્ય નથી. તો પછી તમે ફિલ્મમાં યોગદાન આપી રહ્યા નથી. તેઓ મારા માટે કામ કરે છે, તેથી તેમને ચૂકવવાની જવાબદારી મારી છે, ખાસ કરીને જ્યારે હું સારી કમાણી કરી રહ્યો છું."

