આ સમયે યામીએ મંદિરની ઉત્તમ વ્યવસ્થા અને સ્વચ્છતા માટે મંદિર પ્રશાસન તથા અધિકારીઓની પ્રશંસા પણ કરી હતી.
યામીએ પ્રથમ વખત ભગવાન મહાકાલનાં દર્શન કર્યા
યામી ગૌતમ અને આદિત્ય ધરે દીકરા વેદાવિદ અને પરિવારના અન્ય સભ્યો સાથે બુધવારે ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં જઈ ભગવાન શિવનાં દર્શન કર્યાં અને આશીર્વાદ મેળવ્યા. આ સમયે યામીએ મંદિરની ઉત્તમ વ્યવસ્થા અને સ્વચ્છતા માટે મંદિર પ્રશાસન તથા અધિકારીઓની પ્રશંસા પણ કરી હતી.
યામીએ પ્રથમ વખત ભગવાન મહાકાલનાં દર્શન કર્યા પછી પોતાને થયેલા અનુભવ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મેં મહાકાલેશ્વર મંદિર વિશે ઘણું સાંભળ્યું હતું પણ અહીં આવવાનું સૌભાગ્ય મને પ્રથમ વખત મળ્યું છે. આ પહેલાં હું ‘ઓહ માય ગૉડ 2’ના શૂટિંગ માટે ઉજ્જૈન આવી હતી પણ એ સમય મંદિરમાં દર્શન કરી શકી નહોતી. હવે મને આ આધ્યાત્મિક અનુભવ કરવાની તક મળી છે.’
ADVERTISEMENT
રામ ગોપાલ વર્મા એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ દયા નાયક પરથી ફિલ્મ બનાવવાના પ્લાનિંગમાં
ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા હવે ગૅન્ગવૉરની વાર્તા પરથી ફિલ્મ બનાવવાના પ્લાનિંગમાં છે. જોકે આ ફિલ્મનું કેન્દ્રબિંદુ એક એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ હશે. આ માટે તેણે મુંબઈના જાણીતા એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ દયા નાયકની પસંદગી કરી છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ બનાવવાની યોજના નવી નથી. વર્ષો પહેલાં પણ આ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું હતું પણ એ પૂર્ણ થઈ શક્યું નહોતું. ૨૦૧૦માં પણ રામ ગોપાલ વર્માએ દયા નાયક પર આધારિત પ્રોજેક્ટ વિશે વિચાર કર્યો હતો. એ સમયે દયા નાયક ફિલ્મ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયો હતો. જોકે પછી આ પ્રોજેક્ટ અટકી ગયો હતો. હવે રામ ગોપાલ વર્માએ ફરી આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું છે અને તેનું આયોજન આ ફિલ્મને તેની લોકપ્રિય ‘કંપની’ ફ્રૅન્ચાઇઝીના ભાગ તરીકે રજૂ કરવાનું છે.
મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ પર પ્રાથમિક કામ શરૂ થઈ ચૂક્યું છે અને સ્ક્રીનપ્લે પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. ચર્ચા છે કે આ પ્રોજેક્ટ કોઈ મોટા પ્રોડક્શન હાઉસના બૅનર હેઠળ બની શકે છે.
