જાવેદ અખ્તર, ઝાકિર ખાન, કૌસર મુનીર અને કુમાર વિશ્વાસ લઈને આવી રહ્યાં છે ‘ઇન્ડિયા શાયરી પ્રોજેક્ટ’
શેર-ઓ-શાયરી હો જાએ
જાવેદ અખ્તર હવે શાયરી પર એક શો લઈને આવી રહ્યા છે. આ શોનું નામ ‘ઇન્ડિયા શાયરી પ્રોજેક્ટ’ આપવામાં આવ્યું છે જેને પંદર ઑગસ્ટે લૉન્ચ કરવામાં આવશે. આ શો દ્વારા તેઓ યુવાન જનરેશનને શાયરી અને કવિતા તરફ આકર્ષી રહ્યા છે. ZEE5 પર લૉન્ચ કરવામાં આવી રહેલા આ શોમાં તેમની સાથે ઝાકિર ખાન, કૌસર મુનીર અને કુમાર વિશ્વાસ પણ જોવા મળશે. આ વિશે વાત કરતાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘ઇન્ડિયા ઘણા અદ્ભુત કવિઓ અને શાયરનો દેશ છે. આજના યુવાનો કવિતાઓ અને શાયરીને પસંદ કરે છે એ ખૂબ જ સારી વાત છે. કવિતાની મદદથી તમે પોતાની જાતને ખૂબ જ પ્રામાણિક રૂપે દુનિયા સમક્ષ રજૂ કરી શકો છો. સોશ્યલ મીડિયાને કારણે એ યુવાનોનો પાવર અને ટૂલ બની ગયું છે. શાયરી મારું પૅશન છે અને હું જે છું એ એને કારણે છું એથી ઇનોવેટિવ શો ‘ઇન્ડિયા શાયરી પ્રોજેક્ટ’ સાથે જોડાવાની મને ખુશી છે.’