Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનિલ કપૂર હવે નાયકની સીક્વલ બનાવવાના પ્લાનિંગમાં

અનિલ કપૂર હવે નાયકની સીક્વલ બનાવવાના પ્લાનિંગમાં

Published : 05 January, 2026 10:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મ રિલીઝ થયાનાં ૨૫ વર્ષ પછી અનિલ કપૂર એની સીક્વલ બનાવવાના પ્લાનિંગમાં છે

‘નાયક’માં અનિલ કપૂર

‘નાયક’માં અનિલ કપૂર


૨૦૦૧માં રિલીઝ થયેલી અનિલ કપૂર, રાની મુખરજી અને અમરીશ પુરીને લીડ રોલમાં ચમકાવતી ‘નાયક’ સુપરહિટ રહી હતી. હવે ફિલ્મ રિલીઝ થયાનાં ૨૫ વર્ષ પછી અનિલ કપૂર એની સીક્વલ બનાવવાના પ્લાનિંગમાં છે, કારણ કે તેણે તાજેતરમાં ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા છે.

આ સીક્વલ વિશે વાત કરતાં અનિલની નજીકની એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘‘નાયક’ અનિલ કપૂરના દિલની ખૂબ નજીક છે તેથી તે એના રાઇટ્સ પોતાની પાસે રાખવા માગે છે. તે આ ફિલ્મની સીક્વલ પણ બનાવવા માગે છે. તેને ખબર છે કે વર્ષોથી આ ફિલ્મને દર્શકો તરફથી કેટલો પ્રેમ મળ્યો છે અને તેનું માનવું છે કે ‘નાયક’ની સીક્વલ બહુ સારી રીતે બનાવી શકાય એમ છે.’



આ પહેલાં પણ ૨૦૧૩માં તેમ જ ૨૦૧૭માં ‘નાયક’ની સીક્વલ બનાવવાનું પ્લાનિંગ ચાલતું હોવાના રિપોર્ટ હતા, પણ પછી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું નહોતું.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2026 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK