Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનાથ બાળકીઓના શિક્ષણની જવાબદારી અને લેખિતમાં માફી

અનાથ બાળકીઓના શિક્ષણની જવાબદારી અને લેખિતમાં માફી

Published : 08 May, 2026 01:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકે ચુનર તેરીના વિવાદમાં ફસાયેલી નોરા ફતેહીએ આ પગલું લઈને રાષ્ટ્રીય મહિલા આયોગને કહ્યું કે મારો ઇરાદો કોઈની લાગણી દૂભવવાનો નહોતો

અનાથ બાળકીઓના શિક્ષણની જવાબદારી અને લેખિતમાં માફી

અનાથ બાળકીઓના શિક્ષણની જવાબદારી અને લેખિતમાં માફી


નોરા ફતેહીને કન્નડા ફિલ્મ ‘KD : ધ ડેવિલ’ના ગીત ‘સરકે ચુનર તેરી’માં તેના અશ્લીલ પ્રદર્શનના મામલે સમન્સ મોકલવામાં આવ્યું હતું. આ મામલે નોરા ગઈ કાલે રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ હાજર થઈ હતી. નોરાએ આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે મારો ઇરાદો કોઈની લાગણી દૂભવવાનો નહોતો પણ મને એવી પરિસ્થિતિમાં મૂકવામાં આવી હતી. નોરાએ પછી આ મામલે માફી માગી લીધી હતી. 

આયોગ સમક્ષ હાજરી આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતાં નોરાએ જણાવ્યું હતું કે મેં લેખિત માફીનામું આપ્યું છે અને હું કલાકાર તરીકે જવાબદારીનું મહત્ત્વ સમજું છું. પોતાનો મુદ્દો રજૂ કરતાં નોરાએ કહ્યું હતું કે ‘હા, હું આયોગ સમક્ષ હાજર થઈ હતી અને મેં માફી માગી લીધી છે. આ માત્ર એવી પરિસ્થિતિ હતી જેમાં મને મૂકવામાં આવી હતી. કોઈની લાગણી દૂભવવાનો મારો કોઈ ઇરાદો નહોતો, પરંતુ કલાકાર તરીકે મારી જવાબદારી છે. મેં ચોક્કસપણે માફી માગી લીધી છે અને બધું લેખિત આપ્યું છે. સુધારાત્મક પગલા તરીકે મેં અનાથ બાળકીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લીધો છે.’



ગઈ કાલે દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા આયોગની ઑફિસમાં હાજર થયા પછી નોરા ફતેહીએ મીડિયા સમક્ષ હાર્ટની સાઇન દર્શાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 01:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK