તેનું કહેવું છે કે નાની ઉંમરે વ્યક્તિ તેના પાર્ટનર સાથે રહેવા માટે પોતાનામાં વધુ પરિવર્તન લાવી શકે છે
આર. માધવનની તસવીર
આર. માધવનનું કહેવું છે કે યુવાનોએ વહેલાં લગ્ન કરી લેવાં જોઈએ. તેણે ૨૯ વર્ષની ઉંમરે ૧૯૯૯માં સરિતા બિર્જે સાથે લગ્ન કર્યાં હતાં. તેમના લગ્નજીવનને ૨૫ વર્ષ થવા આવ્યાં છે અને તેઓ ઘણાં ખુશ છે. માધવન હાલમાં એક પૉડકાસ્ટ-શોમાં જોવા મળ્યો હતો. એમાં જલદી લગ્ન કરવા વિશે માધવને કહ્યું કે ‘તમે જ્યારે લગ્ન કરો છો ત્યારે તમે પોતાની જાતમાં ઘણા બદલાવ કરો છો. જલદી લગ્ન કરવાથી વ્યક્તિ તેના પાર્ટનર સાથે રહેવા પોતાનામાં વધુ પરિવર્તન લાવી શકે છે. વ્યક્તિ પોતાની લાઇફસ્ટાઇલ, પોતાની માન્યતાઓ અને પોતાની શ્રદ્ધા જેમાં છે એમાં ઘણું કૉમ્પ્રોમાઇઝ કરે છે.’ માધવનનું એમ પણ માનવું છે કે દરેક વ્યક્તિની વિચારધારા અલગ હોય છે અને કેટલાક લોકો મોડેથી લગ્ન કરવાના મતના હોય છે. જોકે જલદી લગ્ન કરવાથી યુવાનોને એકમેકની લાઇફના ઉતાર-ચડાવ, ફૅમિલી-પ્લાનિંગ અને જવાબદારીઓ પણ એકમેક સાથે શૅર કરવાનો પૂરતો સમય મળી શકે છે.