સોનાક્ષી કહે છે, ‘ના, ફિર વહાં ભી તુમ લોગ નેપોટિઝમ-નેપોટિઝમ કરોગે.
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાની પૉલિટિક્સમાં આવવાની કોઈ ઇચ્છા નથી. શત્રુઘ્ન સિંહા ફિલ્મો બાદ પૉલિટિક્સમાં આવ્યા હતા. હાલમાં ઘણી સેલિબ્રિટીઝ પૉલિટિક્સમાં જોડાઈ રહી છે. આ વિશે પૂછતાં સોનાક્ષી કહે છે, ‘ના, ફિર વહાં ભી તુમ લોગ નેપોટિઝમ-નેપોટિઝમ કરોગે. મને નથી લાગતું કે મારા પિતાએ એવું કર્યું એટલે હું તેમને જોઈને પૉલિટિક્સમાં આવું. મને નથી લાગતું કે મારી એવી કોઈ ઇચ્છા પણ હોય કે હું પૉલિટિક્સમાં આવું. મારા પિતા લોકોને ખુલ્લા દિલથી મળનારી વ્યક્તિ છે, જ્યારે હું એકદમ પ્રાઇવેટ પર્સન છું. પૉલિટિક્સમાં જવા માટે તમે દરેકને ખુલ્લા દિલથી મળી શકવા માટે સક્ષમ હોવા જોઈએ પછી એ દુનિયાના કોઈ પણ ખૂણાની અજાણી વ્યક્તિ કેમ ન હોય. મેં મારા પિતાને લોકો સાથે જોયા છે. મને નથી લાગતું કે એ હું કરી શકું એમ છું.’