Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સની દેઓલ નવી વહુનાં પગલાંને શુકનવંતાં માને છે

સની દેઓલ નવી વહુનાં પગલાંને શુકનવંતાં માને છે

06 May, 2024 05:58 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સની દેઓલના દીકરા કરણ દેઓલનાં લગ્ન ગયા વર્ષે દ્રિશા આચાર્ય સાથે થયાં છે

સની દેઓલના દીકરા કરણ દેઓલનાં લગ્નની તસવીર

સની દેઓલના દીકરા કરણ દેઓલનાં લગ્નની તસવીર


સની દેઓલના દીકરા કરણ દેઓલનાં લગ્ન ગયા વર્ષે દ્રિશા આચાર્ય સાથે થયાં છે. વહુનાં શુકનિયાળ પગલાં ઘરમાં પડતાં જ પરિવારમાં ખુશીઓ છવાઈ હોવાનું સની દેઓલનું માનવું છે. તેનું કહેવું છે કે તેના આવતાં જ પરિવારમાં પરિવર્તન આવ્યું છે. એ વિશે સની દેઓલ કહે છે, ‘૨૩ વર્ષ પસાર થયાં અને એ દરમ્યાન ઘણુંબધું થયું હતું. અમે સતત અલગ-અલગ વસ્તુઓ કરી રહ્યા હતા. હું, બૉબી દેઓલ અને પાપા ઘણીબધી વસ્તુઓ કરી રહ્યા હતા. જોકે મારા દીકરાનાં લગ્ન થયાં અને વહુ ઘરે આવી તો કોણ જાણે કેમ બધું જ બદલાઈ ગયું. આ વખતે જે કાંઈ પણ થયું અને અમને જે પ્રકારે લોકોનો પ્રેમ મળ્યો એ બધું અમારા ઘરમાં વહુ આવી એ પહેલાં નહોતું થતું. મારી ‘ગદર 2’ રિલીઝ થઈ એ પહેલાં પાપાની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ આવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 05:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK