૨૦૨૦ની ૧૪ જૂને તેણે બાંદરાના તેના મકાનમાં કથિત રૂપે સુસાઇડ કર્યું હતું. ત્યારથી તેના મૃત્યુની તપાસનું કારણ CBI શોધી રહ્યું છે.
સુશાંત સિંહ રાજપૂત , શ્વેતા સિંહ કીર્તિ
સુશાંત સિંહ રાજપૂતના અવસાનનું રહસ્ય હજી પણ ઉકેલાયું નથી. ૨૦૨૦ની ૧૪ જૂને તેણે બાંદરાના તેના મકાનમાં કથિત રૂપે સુસાઇડ કર્યું હતું. ત્યારથી તેના મૃત્યુની તપાસનું કારણ CBI શોધી રહ્યું છે. એથી સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેને ન્યાય અપાવવા માટે ઑનલાઇન કૅમ્પેન શરૂ કર્યું છે. સાથે જ પ્રશાસનને પણ આ કેસમાં ઝડપ લાવવાની વિનંતી કરી છે. તેણે #Nyay4SSRજનઆંદોલનની શરૂઆત કરી છે. એની માહિતી ઇન્સ્ટાગ્રામ પર આપતાં શ્વેતાએ લખ્યું કે ‘મારા ભાઈ સુશાંતના અવસાનને ચાર વર્ષ થવાનાં છે. હું CBIને વિનંતી કરું છું કે તેમની તપાસમાં ઝડપ લાવે અને સત્ય બહાર પાડે. એના માટે તમે બધા મને સાથ આપો. તમારા હાથ કાં તો કપાળે લાલ કપડું બાંધો, એનો ફોટો ક્લિક કરો અને એને #Nyay4SSRજનઆંદોલન સાથે શૅર કરો.’