આ ફિલ્મ બીજી ઑક્ટોબરે રિલીઝ થવાની છે
`વાલ્મીકિ રામાયણ`નું પોસ્ટર
હાલમાં રવિવારે અખાત્રીજ નિમિત્તે ડિરેક્ટર ભાવના તલવાર દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ ‘વાલ્મીકિ રામાયણ’નું નવું પોસ્ટર લૉન્ચ થયું હતું. આ પોસ્ટરમાં ભગવાન શ્રીરામને ધનુષ સાથે અદ્ભુત અંદાજમાં દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મ બીજી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મહર્ષિ વાલ્મીકિએ રચેલા મૂળ રામાયણને વધુ વફાદારીથી અને આધ્યાત્મિક રીતે રજૂ કરવાનું આયોજન છે, પણ એના કલાકારો વિશે કોઈ જાહેરાત કરવામાં નથી આવી.
પ્રયાગરાજમાં રામ-સીતા-લક્ષ્મણ
ADVERTISEMENT

ગઈ કાલે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ત્રણ દિવસની રાષ્ટ્ર હનુમંત કથાનો આરંભ થયો હતો. એ પહેલાં એક કળશયાત્રા યોજાઈ હતી જેમાં ટીવી-સિરિયલ ‘રામાયણ’માં રામ-સીતા-લક્ષ્મણ બનેલાં અરુણ ગોવિલ, દીપિકા ચીખલિયા અને સુનીલ લાહિરી જોડાયાં હતાં.
