Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > પચીસની શિવાંગી અને ૩૯નો કુશાલ કરશે સગાઈ?

પચીસની શિવાંગી અને ૩૯નો કુશાલ કરશે સગાઈ?

03 May, 2024 05:59 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૯ વર્ષના કુશાલ ટંડનની તો તેના રિલેશન ગૌહર ખાન સાથે ચગ્યા હતા, પણ ૨૦૧૪માં તેમના આ રિલેશનનો અંત આવ્યો હતો. 

શિવાંગી જોશી અને કુશાલ ટંડન

શિવાંગી જોશી અને કુશાલ ટંડન


શિવાંગી જોશી અને કુશાલ ટંડન થોડા સમયથી પ્રેમમાં ગળાડૂબ છે. એવું સાંભળવા મળ્યું છે કે તેઓ ટૂંક સમયમાં સગાઈ પણ કરવાનાં છે. આ બન્નેએ સિરિયલ ‘બરસાતેં  - મૌસમ પ્યાર કા’માં સાથે કામ કર્યું હતું. લોકોને તેમની આ જોડી ખૂબ ગમી હતી. સોની પર આવતો આ શો ફેબ્રુઆરીમાં બંધ થઈ ગયો હતો. શોના સેટ પર જ બન્ને નજીક આવ્યાં હતાં અને ત્યારથી તેઓ રિલેશનમાં સિરિયસ છે અને સેટલ થવાની પણ ઇચ્છા છે એવું તેમનાં નજીકનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. બન્નેએ પોતાના આ રિલેશનને જાહેરમાં સ્વીકાર્યું નથી. તેઓ યોગ્ય સમયે પોતાનાં રિલેશન જાહેર કરશે. પચીસ વર્ષની શિવાંગીના અગાઉ ‘બાલિકા વધૂ 2’ના કો-સ્ટાર રણદીપ રાય સાથે રિલેશન હોવાની ચર્ચા હતી. જોકે બાદમાં બન્નેએ જણાવ્યું કે અમે માત્ર સારાં ફ્રેન્ડ્સ છીએ. વાત કરીએ ૩૯ વર્ષના કુશાલ ટંડનની તો તેના રિલેશન ગૌહર ખાન સાથે ચગ્યા હતા, પણ ૨૦૧૪માં તેમના આ રિલેશનનો અંત આવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2024 05:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK