કંગના કપિલના શૉ પર પહોંચી તો કપિલે તેને પૂછી લીધું કે ઘણાં દિવસથી કોઈ વિવાદ નથી થયો, તમને કેવું લાગે છે?
તસવીર સૌજન્ય મિડ-ડે
બૉલિવૂડ અભિનેત્રી કંગના રણોત હાલ પોતાની ફિલ્મ `થલાઇવી`ને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં તેમણે તામિલનાડુની પૂર્વ સીએમ જયલલિતાનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મના પ્રમોશન માટે તાજેતરમાં કંગના `ધ કપિલ શર્મા શૉ`માં પહોંચી છે. કપિલના શૉમાં કંગના પહેલા પણ અનેક વાર જઈ ચૂકી છે અને ત્યાં પણ પોતાની બિંદાસ બેફિકર વાતોથી બધાને ચોંકાવી ચૂકી છે. કપિલ શર્મા પણ પોતાના મહેમાનોની સાથે મસ્તી કરતા ક્યાંય પાછળ રહેતો નથી. હવે જ્યારે કંગના કપિલના શૉ પર પહોંચી તો કપિલે તેને પૂછી લીધું કે ઘણાં દિવસથી કોઈ વિવાદ નથી થયો, તમને કેવું લાગે છે?
કપિલના પ્રશ્નનો કંગનાએ આપ્યો જવાબ
આના પર કંગનાને પોતાને હસવું આવી ગયું. એટલું જ નહીં કપિલે કંગનાને તેનો જ એક જૂનો વીડિયો બતાવ્યો જે શાહિદ સાથે ફિલ્મ પ્રમોટ કરવા કપિલના શૉમાં પહોંચી હતી અને રહ્યું હતું કે સોશિયલ મીડિયા તે લોકો ચલાવે છે જે વેલા (એટલે કે ખાલી - નવરા) હોય છે. હવે આને લઈને કપિલે કંગના પાસેથી તેની સલાહ માગી છે જેના પર તેણે રસપ્રદ પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
હકિકતે જ્યારે ફિલ્મ રંગૂનના પ્રમોશન માટે કંગના શાહિદ કપૂર સાથે ધ કપિલ શર્મા શૉમાં આવી હતી ત્યારે કપિલે તેને પૂછ્યું હતું કે, "તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેમ નથી કરતાં?" આના જવાબમાં કંગનાએ કહ્યું હતું કે, "મને લાગે છે કે સોશિયલ મીડિયા પર બધા વેલા લોકો હોય છે જેમની પાસે કોઈ કામ નથી કરવા માટે. જેમની પાસે કામ હોય છે તેમને સમય નથી મળતો. સોશિયલ મીડિયા જેવા ટ્વિટર, ફેસબૂક ઇન્સ્ટાગ્રામ પર આ લોકો રહે છે અને પોતાના પર તેઓ કેટલાય કેસ પણ કરાવી લે છે."
હવે રસપ્રદ વાત એ પણ છે કે કંગના સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય થઈ ગઈ હતી અને ટ્વિટર પર પોતાના વિવાદિત નિવેદનોને કારણે તેનું અકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવ્યું. સાથે જ તેના પર અનેક કેસ પણ ચાલી રહ્યા છે. આ વાતને લઈને કપિલ શર્માએ કંગનાને પ્રશ્ન પૂછ્યો છે કે હવે તે શું કહે છે. આ અંગે કંગનાને ફરી હસવું આવ્યું અને તેણે કહ્યું, "હા, સોશિયલ મીડિયા પર વેલા લોકો જ રહે છે. જ્યારે લૉકડાઉન લાગૂ પડ્યું તો હું પણ નવરી થઈ ગઈ હતી, સોશિયલ મીડિયા પર આવી ગઈ અને ફરી જ્યારે લૉકડાઉન હટ્યું ત્યાં સુધી ટ્વિટરે પોતે જ મારું અકાઉન્ટ ડિલીટ કરી દીધું."
કંગનાની આ વાતો સાંભળીને બધા હસવા માંડ્યા. જણાવવાનું કે કંગનાને ટ્વિટર પર આવ્યાને લગભગ એક વર્ષનો સમય થયો હતો કે વિવાદિત નિવેદનોને લઈને ખૂબ જ હંગામો થયો અને પછી ટ્વિટરે તેમનું અકાઉન્ટ ડિલીટ કરી દીધું. ત્યાર પછી કંગના હવે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને કૂ એપનો ઉપયોગ કરે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગનાની ફિલ્મ `થલાઈવી`ને દર્શકોની અત્યાર સુધી મિક્સ પ્રતિક્રિયા મળી છે. આ સિવાય કંગના ફિલ્મ `ધાક઼ડ` અને `તેજસ`માં દેખાવાની છે. કંગના ઇમરજન્સી પર પણ ફિલ્મ બનાવી રહી છે જેમાં ઇન્દિરા ગાંધીના પાત્રમાં દેખાશે. તેમણે આની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.