Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Akshaya Tritiya 2024: સોનું ખરીદવાનું બજેટ ન હોય તો લઈ આવજો આ વસ્તુઓ, થશે ધનવર્ષા

Akshaya Tritiya 2024: સોનું ખરીદવાનું બજેટ ન હોય તો લઈ આવજો આ વસ્તુઓ, થશે ધનવર્ષા

01 May, 2024 12:27 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Akshaya Tritiya 2024: તૃતીયાની તિથિ શુક્રવારે સવારે 4:17 વાગ્યે શરૂ થઈ જવાની છે અને તે બીજા દિવસે 11 મેના રોજ સવારે 2:50 વાગ્યે સમાપ્ત થશે

સોનાંની ખરીદી વખતેની પ્રતીકાત્મક તસવીર

સોનાંની ખરીદી વખતેની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. આ દિવસે સુકર્મ અને ગજકેસરી યોગ થઈ રહ્યો છે
  2. એ દિવસે અચૂક શ્રીયંત્રની ખરીદી કરવી જોઈએ
  3. આ દિવસે મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે

હિન્દુ પરિવારોમાં અક્ષય તૃતીયા (Akshaya Tritiya 2024)નો દિવસ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો પરિવારમાં ધનલાભ થાય છે. 

આ વર્ષે ક્યારે કરવામાં આવશે અક્ષય તૃતીયાની પૂજા?



તમને જણાવી દઈએ કે આ વર્ષે અક્ષય તૃતીયા (Akshaya Tritiya 2024)નો તહેવાર 10મી મેના રોજ ઉજવવામાં આવનાર છે. વળી, જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ દિવસને લઈને ખૂબ જ મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે.


આ વર્ષની અક્ષય તૃતીયાની તિથી અને શુભ મુહૂર્ત કયું છે?

આ વર્ષે ૧૦મી મેના રોજ આવી રહેલી તૃતીયા તિથિ શુક્રવારે સવારે 4:17 વાગ્યે શરૂ થઈ જવાની છે અને તે બીજા દિવસે 11 મેના રોજ સવારે 2:50 વાગ્યે સમાપ્ત થશે. આ સિવાય અક્ષય તૃતીયાનું શુભ મુહૂર્ત 10 મેના રોજ સવારે 5.49થી બપોરે 12.23 સુધી રહેશે.


અનેક શુભ યોગ પણ થઈ રહ્યા છે આ વર્ષે

જ્યોતિષોશાસ્ત્ર અનુસાર આ વર્ષે અક્ષય તૃતીયા (Akshaya Tritiya 2024)ના પાવન દિવસે સુકર્મ યોગ થઈ રહ્યો છે જે સુખ, આરામ અને ધનમાં વૃદ્ધિ કરી આપે તેવો છે. અક્ષય તૃતીયાના દિવસે બપોરે 12 વાગ્યા પછી આ યોગ બનવા જઈ રહ્યો હોવાથી એમ કહેવાઈ રહ્યું છે કે આ સુકર્મ યોગમાં સોનાની ખરીદી કરી શકાય છે, જ્યારે ગજકેસરી યોગમાં સફળતા, ધન અને પદની વૃદ્ધિ થતી જણાય છે.

આ વર્ષે પણ નથી કોઈ લગ્નનું મુહૂર્ત 

વળી આ વર્ષે તો ગુરુ નક્ષત્ર અક્ષય તૃતીયા પર અસ્ત થવાનો છે. અગાઉ વર્ષ 2000માં પણ આવો જ સંયોગ બન્યો હતો જ્યારે લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નહોતું. આ વર્ષે પણ વિક્રમ સંવત 2081માં ગુરુનો નક્ષત્ર વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિથી જ્યેષ્ઠ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ સુધી અસ્ત કરશે.

સોના-ચાંદીનું બજેટ ન હોય તો શું થયું? આ જરૂર ખરીદી શકો 

શ્રીયંત્ર: અક્ષય તૃતીયા (Akshaya Tritiya 2024)ના દિવસે જે લોકો સોનું ન ખરીદી શકે તો એ દિવસે અચૂક શ્રીયંત્રની ખરીદી કરી જ શકે છે. ઘર મંદિરમાં આ યંત્ર પધરાવી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકાય છે.

માટલું: એવું પણ કહેવાય છે કે આ દિવસે નવું નક્કોર માટલું ખરીદવામાં આવે તો તે શુભ હોય છે. 

પીળી સરસવ: જે લોકોને વૈવાહિક સમસ્યાઓ નડી રહી હોય તેઓએ આ દિવસે પીળી સરસવ ખરીદવી જોઈએ. જેને સૌભાગ્ય વૃદ્ધિ માટેનું પ્રતિક માનવામાં આવે છે.

મીઠું : આ દિવસે મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ભૌતિક સુખ-સુવિધાઓના સ્વામી શુક્ર અને ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે.

(ડિસ્ક્લેમર: આ લેખમાં રજૂ કરેલ બાબત વિવિધ માહિતીને આધારે હોવાથી તેની પુષ્ટિ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ આપતું નથી)

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK