Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > બુધવારે ગણેશ ચતુર્થી હોવી એ એક શુભ સંયોગ, જાણો શુભ મુહૂર્ત

બુધવારે ગણેશ ચતુર્થી હોવી એ એક શુભ સંયોગ, જાણો શુભ મુહૂર્ત

30 August, 2022 04:48 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દર વર્ષે ગણેશ ચતુર્થી ભાદ્ર માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 2022 બુધવાર, 31 ઓગસ્ટના રોજ આવી રહી છે.

તસવીર: આઈસ્ટોક

તસવીર: આઈસ્ટોક


ગણેશ ઉત્સવ આવ ગયો છે. ભગવાન ગણેશના સૌથી મોટા તહેવારોમાંના એક ગણેશ ચતુર્થી, જે દેવતાઓમાં પ્રિય છે, તે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશના સૌથી મોટા તહેવારોમાંના એક ગણેશ ચતુર્થી, જે દેવતાઓમાં પ્રિય છે, તે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશના ઘણા ભાગોમાં ગણપતિ પંડાલો યોજાય છે ગયા છે. ત્યારે જાણો કયા મુહૂર્ત પર અને કેવી રીતે કરશે ગણેશ સ્થાપન.  

ગણેશ ચતુર્થી ક્યારે છે?



દર વર્ષે ગણેશ ચતુર્થી ભાદ્ર માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 2022 બુધવાર, 31 ઓગસ્ટના રોજ આવી રહી છે. ખાસ વાત એ છે કે ભગવાન ગણેશ બુધવારના દેવતા છે. બુધવારે ગણેશ પૂજાનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં બુધવારે ગણેશ ચતુર્થી હોવી એ એક શુભ સંયોગ છે.


ગણપતિની સ્થાપના માટે મુહૂર્ત

જો તમે તમારા ઘરે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાનું વિચારી રહ્યા છો અથવા કોલોનીમાં ગણપતિ પંડાલની સ્થાપના કરવામાં આવી રહી છે અને તમે ગણેશજીની સ્થાપના કરવા માંગો છો તો આ કાર્ય શુભ મુહૂર્તમાં કરો. ભાદ્ર માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 30મી ઓગસ્ટના રોજ બપોરથી શરૂ થશે, જે 31મી ઓગસ્ટે બપોરે 3.23 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં મૂર્તિની સ્થાપના માટે આ સમય યોગ્ય છે.


ગણપતિ વિસર્જન ક્યારે થશે?

ગણેશ ઉત્સવ સંપૂર્ણ 10 દિવસનો તહેવાર છે. સ્થાપના પછી 9 દિવસ સુધી તમારા ઘરે ગણપતિજી રહે છે. ગણપતિ વિસર્જન 10માં દિવસે થાય છે. આ વખતે ગણપતિ વિસર્જન 9મી સપ્ટેમ્બર 2022ના રોજ થશે. આ દિવસે અનંત ચતુર્દશીની તિથિ છે. નોંધનીય છે કે અનંત ચતુર્દશી એ ભગવાન વિષ્ણુની પૂજાનો દિવસ છે અને આ દિવસે ગણપતિ વિસર્જન પણ કરવામાં આવે છે.

ગણેશ ઉત્સવ શા માટે ઉજવવો

ગણેશ ઉત્સવને 10-દિવસના તહેવાર તરીકે ધામધૂમથી ઉજવવાનું એક ખાસ કારણ છે. પુરાણો અનુસાર, માતા પાર્વતીના પુત્ર ગણેશનો જન્મ ગણેશ ચતુર્થીના દિવસે થયો હતો. એક દંતકથા અનુસાર, મહર્ષિ વેદ વ્યાસજીએ ગણેશજીને મહાભારત રચવા માટે આહ્વાન કર્યું હતું અને તેમને મહાભારત લખવા વિનંતી કરી હતી. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે વ્યાસજીએ શ્લોકોનું પાઠ કરવાનું શરૂ કર્યું અને ગણપતિજીએ મહાભારત લખવાનું શરૂ કર્યું. ગણેશજી 10 દિવસ રોકાયા વિના લખતા રહ્યા. આ 10 દિવસોમાં ગણેશજી પર ધૂળનું થર ચડી ગયું. પોતાની જાતને સાફ કરવા માટે, 10માં દિવસે, ગણપતિજીએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું. આ દિવસે અનંત ચતુર્દશી હતી. આ કથાના આધારે ગણેશ સ્થાપન અને વિસર્જનની પરંપરા છે.

લોકો ગણપતિ પંડાલમાં કે ઘરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે. ગણેશ ચતુર્થી એ 10 દિવસનો તહેવાર છે જેમાં માતા ગૌરી અને ભગવાન શિવના પુત્રો પૃથ્વી પર તેમના ભક્તોના ઘરે નિવાસ કરે છે.લોકો સિદ્ધિ વિનાયક માટે વ્રત રાખે છે. ત્યાર બાદ ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે છે. ગણેશજી તેમના લોકો પાસે પાછા જાય છે. આ થોડા દિવસો માટે એકદંતનો તહેવાર  ધામધુમથી ઉજવવામાં આવે છે. ગણેશજીની આરતી અને ભજનોથી વાતાવરણ ખુશનુમા રહે છે. 

Whatsapp-channel Whatsapp-channel

30 August, 2022 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK