Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > કયા દિવસોમાં મોટા નિર્ણયો લેવાનું કે ગંભીર ચર્ચા કરવાનું ટાળવું જોઈએ?

કયા દિવસોમાં મોટા નિર્ણયો લેવાનું કે ગંભીર ચર્ચા કરવાનું ટાળવું જોઈએ?

Published : 05 January, 2026 03:05 PM | IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

અત્યારના સમયમાં મૂડ-સ્વિંગ્સ બહુ સામાન્ય વાત બની ગઈ છે અને એ માટે એક નહીં, અનેક કારણો જવાબદાર છે

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


હમણાં એક યુવતી મળવા આવી. યુવતીએ તાજેતરમાં જ એક લાંબી રિલેશનશિપમાંથી તિલાંજલિ લીધી હતી. એ પછી તેને કેટલાક પ્રશ્નો સતાવતા હતા. તેની સાથેના લાંબા કાઉન્સેલિંગ પછી મારે તેને કહેવું પડ્યું કે તમે જેટલી વાર અગત્યના નિર્ણયો કર્યા છે કે ગંભીર ચર્ચાઓ કરી છે એ મોટા ભાગની તમારા મૂડ-સ્વિંગ્સની અવસ્થામાં કરી છે. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે અત્યારના સમયમાં મૂડ-સ્વિંગ્સ બહુ સામાન્ય વાત બની ગઈ છે અને એ માટે એક નહીં, અનેક કારણો જવાબદાર છે. પૉલ્યુશનથી લઈને સ્ટ્રેસફુલ લાઇફ અને જન્ક ફૂડ સુધ્ધાં મૂડ-સ્વિંગ્સનાં કારક છે તો સાથોસાથ મૂડ-સ્વિંગ અચાનક મગજમાં ઊભા થતા એન્ડૉર્ફિન્સ નામના સ્રાવની કમીની પણ નિશાની છે. ઇન્ટિમેટ રિલેશનશિપ પછી જે એન્ડૉર્ફિન્સ રિલીઝ થાય છે એ મૂડ-બૂસ્ટરનું કામ કરે છે પણ અહીં એક વાત સમજવી છે કે દરેક તબક્કે જરૂરી નથી કે ઇન્ટિમેટ રિલેશનથી જ એન્ડૉર્ફિન્સ રિલીઝ થાય. સામાન્ય માત્રામાં પણ એ રિલીઝ થવાનું કામ થતું રહેતું હોય છે.

ગમતું મ્યુઝિક, મનગમતી વ્યક્તિ સાથેની વાતચીત, સારી અને હેલ્ધી લાઇફસ્ટાઇલ, એક્સરસાઇઝ, યોગ જેવી ઍક્ટિવિટીથી પણ એન્ડૉર્ફિન્સ રિલીઝ થયા કરે, પણ જો તમે એ દિશામાં પણ કામ ન કરો તો બૉડીમાં આ સ્રાવની કમી સર્જાવા માંડે છે અને એની સીધી આડઅસર મૂડ-સ્વિંગ્સના સ્વરૂપમાં દેખાય છે. મહત્ત્વનું એ છે કે આ મૂડ- સ્વિંગ્સની પ્રક્રિયાને વ્યક્તિએ ઓળખી લેવી જોઈએ અને એ ઓળખ્યા પછી તેણે પોતાની લાઇફને પણ એ મુજબ સેટ કરવી જોઈએ.



બહુ સરળ એક રસ્તો દેખાડું. વ્યક્તિગત રીતે પહેલાં તો વ્યક્તિએ પોતાના મૂડ- સ્વિંગ્સના દિવસો કે સમયને પારખી લેવા જોઈએ અને એ દિવસો શરૂ થવાનો તબક્કો આવે કે તરત પોતાના પ્રિયજનો સાથે એની વાત કરી દેવી જોઈએ જેથી મૂડ-સ્વિંગ્સ સમયે કરવામાં આવેલા વ્યવહાર કે વર્તનને ખોટી રીતે લેવામાં ન આવે. સાથોસાથ વ્યક્તિગત રીતે પણ એ યાદ રાખવું કે મૂડ-સ્વિંગ્સનો તબક્કો ચાલતો હોય ત્યારે શક્ય હોય તો બહુ બધી દુનિયાદારી અને દેખાડાની પંચાતમાં પડ્યા વિના શક્ય હોય તો ઓછામાં ઓછા લોકોના સંપર્કમાં આવવું અને આ પિરિયડમાં એક પણ મહત્ત્વના નિર્ણય કે અગત્યની મીટિંગ ન કરવી. ખાસ કરીને એવા લોકો સાથે જેની સાથે કડવા થવામાં સંકોચ નથી થતો હોતો. માણસની એક કુટેવ છે, તે અજાણ્યા સાથે સારા રહી શકે છે પણ પોતાની કહેવાય એવી જ વ્યક્તિ સાથે તોછડાઈ કરી સંબંધોમાં તનાવ સર્જી બેસે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2026 03:05 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK