Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામની ગૌશાળામાં ૭૦ ગાયોનાં મોત

કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામની ગૌશાળામાં ૭૦ ગાયોનાં મોત

Published : 14 December, 2025 11:13 AM | IST | Saurashtra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગાયોનાં મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પાંચ ગાયોનું પોસ્ટમૉર્ટમ-એક્ઝામિનેશન કરીને સૅમ્પલ એકત્ર કરવામાં આવ્યાં છે

ગૌશાળામાં ગાયોને અપાઈ રહેલી સારવાર.

ગૌશાળામાં ગાયોને અપાઈ રહેલી સારવાર.


સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં આવેલી રામગર બાપુ ગૌશાળામાં બે દિવસમાં ૭૦ ગાયોનાં મૃત્યુની બનેલી ઘટનાથી ગુજરાત સરકાર ઍક્શનમાં આવી છે. બે દિવસમાં એક પછી એક ગાયના મૃત્યુ પાછળ મગફળીના ખોળથી ફૂડ-પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.  

ગાયોનાં મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પાંચ ગાયોનું પોસ્ટમૉર્ટમ-એક્ઝામિનેશન કરીને સૅમ્પલ એકત્ર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત મૃત્યુ પામેલાં પશુઓને આપવામાં આવેલા ઘાસચારા, ખોળ, પાણી અને અન્ય ખોરાકનાં સૅમ્પલ પણ ફૉરિ​ન્સિક સાયન્સ લૅબોરેટરી  (FSL)માં મોકલવામાં આવ્યાં છે. પ્રાથમિક દૃ​ષ્ટિએ ગાયોના મોતનું કારણ ફૂડ-પૉઇઝનિંગ હોવાનું અનુમાન છે. હાલ ગૌશાળાની બાકીની ગાયોને સુર​​િક્ષત રાખવા પગલાં લેવામાં આવી રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2025 11:13 AM IST | Saurashtra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK