Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઢાકામાં દુર્ગાપૂજા પંડાલમાં બૉમ્બ ફેંકવામાં આવ્યો

ઢાકામાં દુર્ગાપૂજા પંડાલમાં બૉમ્બ ફેંકવામાં આવ્યો

Published : 13 October, 2024 08:44 AM | IST | Bangladesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોહમ્મદ યુનુસે ગઈ કાલે ઢાકેશ્વરી દેવી મંદિરની મુલાકાત લઈને કહ્યું હતું કે અમે બંગલાદેશને એવો દેશ બનાવવા માગીએ છીએ કે જ્યાં તમામ ધર્મના લોકોના અધિકારની સુરક્ષા થાય.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બંગલાદેશના ઢાકામાં આવેલા તાંતીબજારમાં શુક્રવારે દુર્ગાપૂજાના મંડપમાં બૉમ્બ ફેંકવાની ઘટના અને એના પહેલાં સતખિરામાં જેશોરેશ્વરી કાલી માતાના મુગટની ચોરીના મામલે ભારતે ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું કે બંગલાદેશમાં મંદિરો અને દેવી-દેવતાઓને અપવિત્ર કરવાનાં ષડ્યંત્ર રચવામાં આવી રહ્યાં છે અને આ ઘટનાઓને સુનિયોજિત રીતે અંજામ આપવામાં આવી રહ્યો છે. ભારતે માગણી કરી હતી કે બંગલાદેશની મોહમ્મદ યુનુસ સરકારે હિન્દુઓ અને તમામ લઘુમતી કોમનાં પૂજાસ્થળોની રક્ષા કરવી જોઈએ. બીજી તરફ વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસે ગઈ કાલે ઢાકેશ્વરી દેવી મંદિરની મુલાકાત લઈને કહ્યું હતું કે અમે બંગલાદેશને એવો દેશ બનાવવા માગીએ છીએ કે જ્યાં તમામ ધર્મના લોકોના અધિકારની સુરક્ષા થાય.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2024 08:44 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK