Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બંગલાદેશમાં જેલબંધ હિન્દુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસનાં માતાનું અવસાન, દીકરાનું મોં જોયા વિના છેલ્લા શ્વાસ લીધા

બંગલાદેશમાં જેલબંધ હિન્દુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસનાં માતાનું અવસાન, દીકરાનું મોં જોયા વિના છેલ્લા શ્વાસ લીધા

Published : 12 September, 2026 08:52 AM | IST | Dhaka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંતિમ સંસ્કાર માટે માત્ર પાંચ કલાકના પરોલ આપવામાં આવ્યા, બે વર્ષ બાદ જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા

અંતિમ સંસ્કાર દરમ્યાન ચિન્મય કૃષ્ણ દાસ ખૂબ જ ભાવુક થઈને ડૂસકાં ભરતાં અને રડતા જોવા મળ્યા હતા

અંતિમ સંસ્કાર દરમ્યાન ચિન્મય કૃષ્ણ દાસ ખૂબ જ ભાવુક થઈને ડૂસકાં ભરતાં અને રડતા જોવા મળ્યા હતા


બંગલાદેશમાં ૨૦૨૪માં રાજદ્રોહના આરોપસર પકડવામાં આવેલા ઇસ્કૉનના સાધુ ચિન્મય કૃષ્ણ દાસનાં ૭૧ વર્ષનાં માતા સંધ્યા રાનીનું ગુરુવારે કૅન્સરથી અવસાન થયું હતું. માતાએ તેમના પુત્રનું મોં જોવાની ઇચ્છા રાખી હતી પણ પુત્રને જેલમાંથી છોડવામાં આવ્યો નહોતો અને આમ માતાએ પુત્રનું મોં જોયા વિના જ છેલ્લા શ્વાસ લીધા હતા. માત્ર અંતિમ સંસ્કાર માટે પાંચ કલાકના પરોલ આપવામાં આવ્યા હતા. આમ બે વર્ષ બાદ તેમને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર દરમ્યાન ચિન્મય કૃષ્ણ દાસ ખૂબ જ ભાવુક થઈને ડૂસકાં ભરતાં અને રડતા જોવા મળ્યા હતા.

વડા પ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા બાદ બંગલાદેશમાં હિન્દુઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે. ચિન્મય દાસનાં માતાએ પુત્રને જોવાની ઇચ્છા રાખી હતી પણ તેમની ઇચ્છા અને વિનંતીને ફગાવી દેવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2026 08:52 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK