Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ફિલિપીન્સમાં વાવાઝોડાએ તબાહી મચાવી, ૨૪૧ લોકોનાં મોતની આશંકા

ફિલિપીન્સમાં વાવાઝોડાએ તબાહી મચાવી, ૨૪૧ લોકોનાં મોતની આશંકા

Published : 07 November, 2025 08:45 AM | IST | phillippines
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે દિવસમાં સાડાપાંચ લાખ લોકોનાં ઘર તબાહ, ૨૦ લાખ લોકો પ્રભાવિત, વાવાઝોડાની વિયેટનામ તરફ આગેકૂચ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફિલિપીન્સમાં કાલમેગી વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. આ તબાહી પછી ફરીથી શનિવાર સુધીમાં વધુ એક શક્તિશાળી વાવાઝોડાની આશંકાને પગલે ફિલિપીન્સમાં સ્ટેટ ઑફ ઇમર્જન્સી ડિક્લેર કરવામાં આવી હતી. વાવાઝોડાને લીધે ૨૦ લાખ લોકો અસરગ્રસ્ત થયા હોવાની માહિતી મળી હતી. આ વાવાઝોડાને લીધે સાડાપાંચ લાખ ગ્રામજનોને ઘરવિહોણા બન્યા હતા અને સાડાચાર લાખ લોકોને છેલ્લી ઘડીએ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બે દિવસ ફિલિપીન્સને ધમરોળ્યા પછી હવે વાવાઝોડું વિયેટનામ તરફ આગળ વધી રહ્યું હોવાના અહેવાલો છે.
ગઈ કાલે મળેલા અહેવાલો પ્રમાણે આ વાવાઝોડાને લીધે ફિલિપીન્સમાં ઓછામાં ઓછા ૨૪૧ લોકોનાં મૃત્યુ થયાં હોવાની આશંકા છે. ૧૧૪ લોકોનાં મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી, જ્યારે ૧૨૭ ગુમ વ્યક્તિઓની શોધ હજી ચાલી રહી હોવાનું જણાવાયું હતું. જોકે તબાહીનાં દૃશ્યો જોતાં ગુમ થયેલી વ્યક્તિઓમાંથી કોઈ જીવતું મળી આવે એવી સંભાવનાઓ ખૂબ ઓછી હોવાનું સ્થાનિક અધિકારીઓએ સ્વીકાર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2025 08:45 AM IST | phillippines | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK