Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવા બદલ ઈરાને કઈ બે માગણીઓ કરી?

ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવા બદલ ઈરાને કઈ બે માગણીઓ કરી?

Published : 17 March, 2026 12:07 PM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે આ અહેવાલ વિશે ભારત કે ઈરાનના અધિકારીઓ તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં નથી આવી

એસ. જયશંકર

એસ. જયશંકર


હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલાં ભારતના એક તેલના અને બે LPGનાં ટૅન્કરોને સુરક્ષિત રસ્તો આપવા બદલ ઈરાને ભારત પાસે બે ડિમાન્ડ મૂકી હોવાનો ન્યુઝ-એજન્સી રૉઇટર્સનો દાવો છે. ગઈ કાલે અમેરિકાના પ્રવક્તાએ પણ કહ્યું હતું કે ભારતે ૩ જહાજોને સુરક્ષિત રસ્તો આપવા બદલ ઈરાન સાથે ડીલ કરી છે. એ પછી રૉઇટર્સે દાવો કર્યો હતો કે ઈરાને કહ્યું છે કે જો ભારતને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પોતાનાં જહાજો માટે સુરક્ષિત રસ્તો જોઈતો હોય તો બદલામાં ભારતે ઈરાનનાં જપ્ત કરેલાં ૩ ટૅન્કરો છોડવાં પડશે. આ ઉપરાંત ઈરાને ભારત પાસેથી કેટલીક દવાઓ અને મેડિકલ ઉપકરણોના સપ્લાયની પણ ડિમાન્ડ કરી છે. એજન્સીના દાવા મુજબ ઈરાનના રાજદૂતે ગઈ કાલે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે આ વિશે વાત કરી છે. 

જોકે આ અહેવાલ વિશે ભારત કે ઈરાનના અધિકારીઓ તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. આ પહેલાં ભારતીય વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ‘જહાજો છોડાવવા માટે કોઈ ડીલ કરવામાં નથી આવી., માત્ર કૂટનીતિક વાતચીતના આધારે આ નિર્ણય લેવાયો છે.’



ભારતે ફેબ્રુઆરી મહિનામાં ઈરાનનાં ત્રણ જહાજો જપ્ત કર્યાં હતાં, કેમ એ ઓળખ છુપાવીને અમેરિકાના પ્રતિબંધ છતાં સમુદ્રમાં ગેરકાનૂની રીતે માલવહન કરી રહ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 12:07 PM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK