Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મધ્ય રેલવેની ટ્રેનો મોડી પડતાં મુસાફરોનો જોખમી પ્રવાસ, UBTએ પ્રશાસનને આપી ચેતવણી

મધ્ય રેલવેની ટ્રેનો મોડી પડતાં મુસાફરોનો જોખમી પ્રવાસ, UBTએ પ્રશાસનને આપી ચેતવણી

Published : 13 February, 2026 05:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રેલવે અધિકારીઓ પર આકરા પ્રહારો કરતાં, મ્હાત્રાએ લખ્યું, "બેદરકારીને કારણે થયેલા દુ:ખદ અકસ્માતમાં, વિદ્યાર્થીએ પોતાના જીવ ગુમાવ્યા, બે દિવસ પણ પસાર થયા નથી, અને આજે પણ ડોમ્બિવલીમાં, પીક અવર્સ દરમિયાન ટ્રેનો સમયસર ચાલી રહી નથી."

લોકલ ટ્રેનમાં મુસાફરોનો જોખમી પ્રવાસ (તસવીર: X)

લોકલ ટ્રેનમાં મુસાફરોનો જોખમી પ્રવાસ (તસવીર: X)


ડોમ્બિવલીના ૧૨મા ધોરણની પરીક્ષા આપવા માટે મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીએ ભીડને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ભયાનક ઘટનાના માત્ર ત્રણ દિવસ પછી, હજી સુધી કંઈ બદલાયું હશે તેવું લાગતું નથી. શિવસેના (UBT) ના નેતા દીપેશ પુંડલિક મ્હાત્રે દ્વારા X પર શૅર કરાયેલા તાજેતરના વીડિયોમાં મુસાફરોને પીક અવર્સ દરમિયાન ટ્રેનના ડબ્બાની બહાર લટકતા જોવા મળ્યા હતા. તેમણે સેન્ટ્રલ લાઇન પર મોડી દોડતી ટ્રેનો અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી. ટ્રેનો મોડી થવાને કારણે ભારે ભીડ થઈ રહી છે અને નિર્દોષ મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.

શિવસેના UBT નેતાએ ટ્રેનના વિલંબ અને મુસાફરોની સલામતીના જોખમો પર ચિંતા વ્યક્ત કરી



રેલવે અધિકારીઓ પર આકરા પ્રહારો કરતાં, મ્હાત્રાએ લખ્યું, "બેદરકારીને કારણે થયેલા દુ:ખદ અકસ્માતમાં, વિદ્યાર્થીએ પોતાના જીવ ગુમાવ્યા, બે દિવસ પણ પસાર થયા નથી, અને આજે પણ ડોમ્બિવલીમાં, પીક અવર્સ દરમિયાન ટ્રેનો સમયસર ચાલી રહી નથી." પીક અવર્સ દરમિયાન ટ્રેનના ડબ્બાના દરવાજાની બહાર લટકતા લોકોના આજના વીડિયોને શૅર કરતા, તેમણે અધિકારીઓના બેજવાબદાર વલણ પર સવાલ ઉઠાવ્યા. તેમણે લખ્યું, "આ ભારે ભીડ છે, ખતરનાક મુસાફરી છે, અને પ્રવસીઓને દરરોજ જીવનને મુઠ્ઠીમાં રાખી મુસાફરી કરવી પડે છે. રેલવે પ્રશાસનની આ બેદરકારી અને બેજવાબદારી હવે અસહ્ય બની ગઈ છે.



રેલવે સલામતી અને જવાબદારી પર પ્રશ્નો ઉભા થયા

મ્હાત્રાએ પોતાની પોસ્ટમાં અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. તેમણે અધિકારીઓને પ્રશ્ન કર્યો, "હજી કેટલા પીડિતો થશે?" અને જો લોકોનો ગુસ્સો ફાટી નીકળશે તો તેમના પર શું પરિણામ આવી શકે છે તેની પણ ચેતવણી આપી. મંગળવાર, ૧૩ ફેબ્રુઆરીના રોજ, એક દુ:ખદ ઘટનાએ ફરી એકવાર ભીડભાડવાળી લોકલ ટ્રેનોના જોખમો તરફ ધ્યાન દોર્યું, જ્યારે ડોમ્બિવલીના ધોરણ ૧૨ ના વિદ્યાર્થીએ તેના પરીક્ષા કેન્દ્ર પર મુસાફરી કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો. સોહમ કાત્રે તરીકે ઓળખાયેલ વિદ્યાર્થી, ડોમ્બિવલીનો રહેવાસી હતો અને તે તેની HSC ની પરીક્ષા પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. તે કલવામાં મનીષા વિદ્યાલય પહોંચવા માટે ઘરેથી વહેલો નીકળી ગયો હતો, જ્યાં તેની પરીક્ષા હતી. ટ્રેન મુમ્બ્રા અને કલવા સ્ટેશન વચ્ચે પહોંચી ત્યારે મુસાફરી જીવલેણ બની ગઈ. ભારે ભીડ વચ્ચે સોહમ ડબ્બાના દરવાજા પાસે ઊભો હતો ત્યારે તેણે સંતુલન ગુમાવ્યું હોવાના અહેવાલ છે. તે ચાલતી ટ્રેનમાંથી પડી ગયો ડૉક્ટરોએ તેની તપાસ કરી, પરંતુ સારવાર માટે દાખલ કરતા પહેલા તેને સવારે 10.30 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યો. પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુ અહેવાલ (ADR) નોંધ્યો છે અને ઘટનાનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે વધુ તપાસ કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2026 05:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK