Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શ્રી સૂર્યમંદિરમાં આજે મિથુન સંક્રાન્તિ ઊજવાશે

શ્રી સૂર્યમંદિરમાં આજે મિથુન સંક્રાન્તિ ઊજવાશે

Published : 15 June, 2025 11:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરના અમદાવાદના ગોઝારા વિમાન-અકસ્માતમાં માર્યા ગયેલાઓને શાશ્વત શાંતિ અને મોક્ષપ્રાપ્તિ થાય એ હેતુથી હવનમાં વિશેષ આહુતિ આપી યજ્ઞનારાયણદેવ અને સૂર્યનારાયણદેવને ખાસ પૂજા-પ્રાર્થના કરવામાં આવશે.

શ્રી સૂર્યનારાયણદેવના મંદિર

શ્રી સૂર્યનારાયણદેવના મંદિર


દક્ષિણ મુંબઈના સી. પી. ટૅન્ક નજીકના પાંજરાપોળમાં આવેલા અને નરી આંખે દેખાતા એકમાત્ર શ્રી સૂર્યનારાયણદેવના મંદિરમાં આજે મિથુન સંક્રાન્તિની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. એ નિમિત્તે સવારે ૬થી સાંજે ૬ વાગ્યા સુધી અખંડ હવન કરવામાં આવશે. સવારે ૯.૩૦ વાગ્યે ધ્વજારોપણ થશે. ભક્તોને સફેદ અથવા પારંપરિક વસ્ત્રો પહેરવાનો આયોજકોએ નમ્ર અનુરોધ કર્યો છે. ધ હરજીવન વસનજી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ મંદિર એની સ્થાપનાનું ૧૨૬મું વર્ષ ઊજવી રહ્યું છે. 


તાજેતરના અમદાવાદના ગોઝારા વિમાન-અકસ્માતમાં માર્યા ગયેલાઓને શાશ્વત શાંતિ અને મોક્ષપ્રાપ્તિ થાય એ હેતુથી હવનમાં વિશેષ આહુતિ આપી યજ્ઞનારાયણદેવ અને સૂર્યનારાયણદેવને ખાસ પૂજા-પ્રાર્થના કરવામાં આવશે.



વધુ વિગતો માટે મંદિરના મુખ્યાજી/પૂજારી જામનગરી ગિરનારા ભૂદેવ પૂ. પરિમલ પુરોહિત મહારાજનો ૯૦૨૨૬ ૮૪૬૬૭ અથવા ૮૧૬૯૩ ૧૪૪૫૧ નંબર પર સંપર્ક કરવો.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2025 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK