તાજેતરના અમદાવાદના ગોઝારા વિમાન-અકસ્માતમાં માર્યા ગયેલાઓને શાશ્વત શાંતિ અને મોક્ષપ્રાપ્તિ થાય એ હેતુથી હવનમાં વિશેષ આહુતિ આપી યજ્ઞનારાયણદેવ અને સૂર્યનારાયણદેવને ખાસ પૂજા-પ્રાર્થના કરવામાં આવશે.
શ્રી સૂર્યનારાયણદેવના મંદિર
દક્ષિણ મુંબઈના સી. પી. ટૅન્ક નજીકના પાંજરાપોળમાં આવેલા અને નરી આંખે દેખાતા એકમાત્ર શ્રી સૂર્યનારાયણદેવના મંદિરમાં આજે મિથુન સંક્રાન્તિની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. એ નિમિત્તે સવારે ૬થી સાંજે ૬ વાગ્યા સુધી અખંડ હવન કરવામાં આવશે. સવારે ૯.૩૦ વાગ્યે ધ્વજારોપણ થશે. ભક્તોને સફેદ અથવા પારંપરિક વસ્ત્રો પહેરવાનો આયોજકોએ નમ્ર અનુરોધ કર્યો છે. ધ હરજીવન વસનજી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ મંદિર એની સ્થાપનાનું ૧૨૬મું વર્ષ ઊજવી રહ્યું છે.
તાજેતરના અમદાવાદના ગોઝારા વિમાન-અકસ્માતમાં માર્યા ગયેલાઓને શાશ્વત શાંતિ અને મોક્ષપ્રાપ્તિ થાય એ હેતુથી હવનમાં વિશેષ આહુતિ આપી યજ્ઞનારાયણદેવ અને સૂર્યનારાયણદેવને ખાસ પૂજા-પ્રાર્થના કરવામાં આવશે.
ADVERTISEMENT
વધુ વિગતો માટે મંદિરના મુખ્યાજી/પૂજારી જામનગરી ગિરનારા ભૂદેવ પૂ. પરિમલ પુરોહિત મહારાજનો ૯૦૨૨૬ ૮૪૬૬૭ અથવા ૮૧૬૯૩ ૧૪૪૫૧ નંબર પર સંપર્ક કરવો.

