Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Covid-19: એમએસઆરટીસીની બસિઝને મળશે એન્ટિ માઇક્રોબાયલ કોટિંગ

Covid-19: એમએસઆરટીસીની બસિઝને મળશે એન્ટિ માઇક્રોબાયલ કોટિંગ

30 July, 2021 08:07 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ એક એવી પ્રક્રિયા છે જેમાં વાયરસ, બેક્ટેરિયા અને ફૂગ જેવા સુક્ષ્મજીવાણુઓના વિકાસને રોકવા માટે સપાટી પર રાસાયણિક એજન્ટો છાંટાશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાવાયરસ રોગચાળામાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન આગામી મહિનાથી 10,000 વાહનો પર પ્રતિ વાહન 9500ના ખર્ચે એન્ટિ-માઇક્રોબાયલ કોટિંગ લાગુ કરશે તેમ એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે આ એક એવી પ્રક્રિયા છે જેમાં વાયરસ, બેક્ટેરિયા અને ફૂગ જેવા સુક્ષ્મજીવાણુઓના વિકાસને રોકવા માટે સપાટી પર રાસાયણિક એજન્ટો છાંટવામાં આવે છે, જેનો ઘણી ઓફિસો અને એરલાઇન્સ નિયમિતપણે તકનીકનો ઉપયોગ કરે છે. "કોરોનાવાયરસ ફાટી નીકળ્યા પછી, લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરવામાં ખચકાય છે. આ એન્ટી માઇક્રોબાયલ કોટિંગ અમારા મુસાફરોના મનમાંથી આ ભયને દૂર કરવામાં મદદ કરશે," એમએસઆરટીસીના વાઇસ ચેરપર્સન શેખર ચન્નેએ પીટીઆઇને જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું છે કે સીટ્સ, હેન્ડ રેસ્ટ, વિંન્ડોઝ, ગાર્ડ રેલ્સ, ડ્રાઇવરની કેબીન, ફ્લોરિંગ, રબર ગ્લેઝિંગ, દરવાજા અને સામાનના ડબ્બાઓ ઉપર કેમિકલ એજન્ટ છાંટવામાં આવશે.



આ કામ માટે ટેન્ડર મે મહિનામાં બહાર પાડવામાં આવ્યું હતું અને બે કંપનીઓને આગામી સપ્તાહથી પ્રક્રિયા શરૂ કરવા અને એક મહિનાના સમયમાં સમાપ્ત કરવા માટે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. બંન્ને કંપનીઓએ કહ્યું છે કે કોટિંગનું ટકાઉપણું અનુક્રમે બે મહિના અને છ મહિના છે, તેમના દાવાને સમર્થન આપવા માટે હાફકીન સંસ્થામાંથી પ્રમાણપત્રો રજૂ કરવા પડશે.


એમએસઆરટીસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક કંપનીએ વર્ષમાં બે વખત કોટ લગાવવો પડશે, જ્યારે બીજી કંપનીએ વાર્ષિક છ વખત આ કોટ લગાવવો પડશે અને ત્રીજી પાર્ટી વાયરલ લોડને ટેબ્યુલેટ કરવા માટે સપાટી પરથી સ્વૉબ્ઝ અસરકારકતાની તપાસ કરશે.

ગત વર્ષે માર્ચમાં કોવિડ -19 રોગચાળો ફાટી નિકળ્યો તે પહેલાં એમએસઆરટીસીનો 18,000 બસોનો કાફલો હતો જે રોજ 65 લાખો લોકોને વહન કરવામાં કામે લાગતો હાલમાં એમએસઆરટીસીની વર્તમાન રાઇડરશીપ 17-18 લાખની રેન્જમાં છે.


મહારાષ્ટ્રમાં હાલમાં કોવિડ-19ના 2.90 લાખથી વધુ કેસ છે, જેમાં 1.32 લાખ મૃત્યુઆંકનો સમાવેશ થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2021 08:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK