Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પક્ષીઓની તરસ છિપાવવા માટે BMCએ ૫૦૦ ગાર્ડન્સમાં મૂક્યાં પાણી ભરેલાં કૂંડાં

પક્ષીઓની તરસ છિપાવવા માટે BMCએ ૫૦૦ ગાર્ડન્સમાં મૂક્યાં પાણી ભરેલાં કૂંડાં

02 May, 2024 09:06 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગાર્ડનની સંભાળ લેતા માળીને આ બાબતે સૂચનાઓ આપી છે અને રોજ સવારે કૂંડાંમાં પાણી ભરવા કહેવાયું છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


હાલ ચાલી રહેલી હીટવેવમાં માણસો તો ગરમીથી રાહત મેળવવા અનેક ઉપાય અજમાવી લે, પણ અબોલ પશુ-પક્ષીઓની હાલત કફોડી થઈ જાય છે અને ખાસ કરીને પક્ષીઓ પાણી માટે ટળવળતાં નજરે પડતાં હોય છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મુંબઈના ૫૦૦ જેટલા બગીચાઓમાં પક્ષીઓ માટે પાણીનાં કૂંડાં ગોઠવવામાં આવ્યાં છે જેથી એમને પણ પાણી મળી શકે અને તેઓ હીટ-સ્ટ્રોકથી બચી શકે. આ બાબતે BMCના ગાર્ડન ડિપાર્ટમેન્ટના ઑફિસરે કહ્યું હતું કે ‘અમે ગરમી વધી રહી હોવાથી મુંબઈનાં ૫૦૦ જેટલાં ગાર્ડન્સમાં આ વ્યવસ્થા કરી છે. મોટું ગાર્ડન હોય તો એમાં બેથી ત્રણ અને નાનું હોય તો પણ ઍટ લીસ્ટ બે કૂંડાં પાણીનાં ભરેલાં રાખીશું. ગાર્ડનની સંભાળ લેતા માળીને આ બાબતે સૂચનાઓ આપી છે અને રોજ સવારે કૂંડાંમાં પાણી ભરવા કહેવાયું છે, દિવસ દરમ્યાન કૂંડું ખાલી થઈ જાય તો એ ફરી ભરી રાખવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK