Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભટકતો આત્મા કોણ છે એ વડા પ્રધાનને પૂછીશ

ભટકતો આત્મા કોણ છે એ વડા પ્રધાનને પૂછીશ

01 May, 2024 08:22 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાનની આગામી સભામાં હું તેમને પૂછીશ કે એ ભટકતા આત્માનું નામ શું છે અથવા કેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને તેમણે આવું નિવેદન આપ્યું છે

અજીત પવાર

અજીત પવાર


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પુણેની જાહેર સભામાં શરદ પવારનું નામ લીધા વિના તેમની સરખામણી ભટકતા આત્મા સાથે કરી હતી. તેમને લીધે જ મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા ઊભી થઈ હોવાનું વડા પ્રધાને કહ્યું હતું. પત્રકારોએ ગઈ કાલે આ વિશે સવાલ કરતાં નાયબ મુખ્ય પ્રધાન અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે કહ્યું હતું કે ‘હું જ્યોતિષી નથી. આ સંદર્ભમાં તેમના મનમાં શું છે એ કેવી રીતે કહી શકું. વડા પ્રધાનની આગામી સભામાં હું તેમને પૂછીશ કે એ ભટકતા આત્માનું નામ શું છે અથવા કેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને તેમણે આવું નિવેદન આપ્યું છે એ જાણવાનો પ્રયાસ કરીશ. તેઓ જે કહેશે એ હું તમને જણાવીશ.’


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK