Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નિર્ગ્રંથભૂષણવિજયજી મહારાજસાહેબનો કાળધર્મ

નિર્ગ્રંથભૂષણવિજયજી મહારાજસાહેબનો કાળધર્મ

Published : 15 November, 2025 01:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૂળ કચ્છ વાંકીના નીતિનભાઈ માસ્ટર ઑફ સાયન્સ (કેમિકલ) ગ્રૅજ્યુએટ હતા

નિર્ગ્રંથભૂષણવિજયજી મહારાજસાહેબ

નિર્ગ્રંથભૂષણવિજયજી મહારાજસાહેબ


આદ્યગચ્છ સ્થાપક મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજસાહેબના પટધર શુદ્ધમાર્ગ પ્રરૂપક ગચ્છાધિપતિ પૂજ્ય પંડિત મહારાજસાહેબના શિષ્યરત્ન ૬૧ વર્ષના નિર્ગ્રંથભૂષણવિજયજી મહારાજસાહેબ (સંસારી નામ નીતિન જેઠાલાલ ફુરિયા) ગઈ કાલે સવારે પોણાછ વાગ્યે ઘાટકોપર-ઈસ્ટના પોલીસ ગ્રાઉન્ડમાં કાળધર્મ પામ્યા હતા. તેમની પાલખીયાત્રા ગઈ કાલે ૧૨.૩૯ વાગ્યે નીકળી હતી અને તેમના અંતિમ સંસ્કાર ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. મૂળ કચ્છ વાંકીના નીતિનભાઈ માસ્ટર ઑફ સાયન્સ (કેમિકલ) ગ્રૅજ્યુએટ હતા. તેમણે ૫૪ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. તેમનો દીક્ષાપર્યાય સાડાછ વર્ષનો હતો. તેમણે ૨૦૧૯માં ભગવાન મહાવીરસ્વામીના જન્મકલ્યાણકના દિવસે દીક્ષા લીધી હતી. ગઈ કાલે મહાવીરસ્વામીના દીક્ષાકલ્યાણકના દિવસે જ તેઓ કાળધર્મ પામ્યા હતા.  


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2025 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK