આ દરમિયાન, કેતન અગ્રવાલ મૃત્યુ કેસની તપાસ આગળ વધી તેમાં નવા ખુલાસા થયા છે. પોલીસે ત્રીજા શંકાસ્પદની અટકાયત કરી છે અને પૂછપરછ કરી છે. અહેવાલો અનુસાર, પોલીસે સહ-આરોપી ચેતનના મિત્ર નીરજ ચૌધરીની ઘટના પહેલા અને દિવસે તેની સંભવિત ભૂમિકા અંગે પૂછપરછ કરી હતી
કેતન અગ્રવાલ અને સિયા ગોહિલ
પુણેમાં થયેલા હાઇ-પ્રોફાઇલ કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ દરમિયાન, મુખ્ય આરોપી સિયા ગોયલના પિતા પ્રવીણ ગોયલને કાર્ડિયાક ઇમરજન્સી (હાર્ટ ઍટક) બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો મુજબ છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ તેમને પુણેના રૂબી હૉલ ક્લિનિકમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU) માં દાખલ કરવામાં આવ્યા છે.
પરિવારે તપાસ સંબંધિત તણાવને તેમની સ્થિતિ માટે જવાબદાર ગણાવ્યો
ADVERTISEMENT
પરિવારના સભ્યોએ તેમના બગડતા સ્વાસ્થ્ય માટે ચાલુ તપાસની આસપાસના તણાવને જવાબદાર ગણાવ્યો છે. હૉસ્પિટલના ICU ની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે, જ્યારે ડૉક્ટરો તેમની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
તપાસમાં નવો વળાંક; ત્રીજા શંકાસ્પદની પૂછપરછ
આ દરમિયાન, કેતન અગ્રવાલ મૃત્યુ કેસની તપાસ આગળ વધી તેમાં નવા ખુલાસા થયા છે. પોલીસે ત્રીજા શંકાસ્પદની અટકાયત કરી છે અને પૂછપરછ કરી છે. અહેવાલો અનુસાર, પોલીસે સહ-આરોપી ચેતનના મિત્ર નીરજ ચૌધરીની ઘટના પહેલા અને દિવસે તેની સંભવિત ભૂમિકા અંગે પૂછપરછ કરી હતી. પોલીસનો દાવો છે કે ચેતન લોહાગઢ કિલ્લાની યાત્રા દરમિયાન પોતાનો મોબાઇલ ફોન ઘરે છોડી ગયો હતો અને તેના બદલે નીરજ ચૌધરીનો ફોન લઈ ગયો હતો. પોલીસને શંકા છે કે 18 જૂને, કેતન અગ્રવાલની કથિત હત્યાના દિવસે, સિયા ગોયલ અને ચેતન તે ચોક્કસ ફોન દ્વારા સંપર્કમાં હતા.
કથિત હત્યાના કાવતરાની તપાસ ચાલુ
કેતન અગ્રવાલના મૃત્યુને શરૂઆતમાં અકસ્માત માનવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તપાસ દરમિયાન તેને હત્યાના કેસ તરીકે ફરીથી વર્ગીકૃત કરવામાં આવ્યો. પોલીસનો આરોપ છે કે સિયા ગોયલ અને ચેતને વાસ્તવિક ઘટના પહેલા હત્યાને અંજામ આપવાના અનેક નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. તપાસ એજન્સીઓ સીસીટીવી ફૂટેજ અને કૉલ રેકોર્ડ સહિત કેસના વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ રેકોર્ડ ઘટના પહેલાના મહિનાઓમાં બન્ને આરોપીઓ વચ્ચે વારંવાર સંપર્ક તરફ ઈશારો કરે છે. હાલમાં, પોલીસ કથિત હત્યાના કાવતરા, આરોપીઓની ભૂમિકા અને ઘટનાઓનો ક્રમ સ્પષ્ટ કરવા માટે તમામ પુરાવાઓ અને પાસઓ એકત્રિત કરી રહી છે. દરમિયાન, સિયા ગોયલના પિતા પ્રવીણ ગોયલની સારવાર ચાલુ છે, અને તેમના સ્વાસ્થ્યનું તબીબી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
સિયાએ શું કહ્યું હતું?
પુણે સ્થિત રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના મૃત્યુ કેસમાં નવા તથ્યો બહાર આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સિયા ગોયલ કથિત રીતે કેતન અગ્રવાલ સાથે તેની સગાઈ અને લગ્ન પ્લાનિંગના સંબંધને આગળ વધારવા માગતી ન હતી. જોકે, તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કેતન અગ્રવાલ રિલેશન શરૂ રાખવા અને લગ્નની તૈયારીઓ માટે કહેતો હતો. પૂછપરછ દરમિયાન, સિયા ગોયલે પુણે ગ્રામીણ પોલીસને જણાવ્યું હતું કે તેણે કેતનને જાણ કરી હતી કે તે રિલેશનમાં રહેવા માગતી નથી અને તેની સાથે લગ્ન પણ કરવા માગતી નથી. આ છતાં, તપાસમાં જાણવા મળ્યું કે કેતન અગ્રવાલ સંબંધ જાળવી રાખવાના પોતાના પ્રયાસોમાં અડગ રહ્યો અને લગ્નની તૈયારીઓ માટે પ્રતિબદ્ધ હતો.
