Kokilaben Ambani admitted to hospital: કોકિલાબેન અંબાણીની તબિયત બગડતાં એરલિફ્ટ કરાયા; એચએન રિલાયન્સ હોસ્પિટલમાં એડમિટ
કોકિલાબેન અંબાણીની ફાઇલ તસવીર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) અને અનિલ અંબાણી (Anil Ambani)ના માતા કોકિલાબેન અંબાણી (Kokilaben Ambani)ની તબિયત લથડતાં તેમને ઇમરજન્સી એરલિફ્ટ બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગુરુવારે મોડી રાત્રે ૯૦ વર્ષીય કોકિલાબેન અંબાણીને તાત્કાલિક એરલિફ્ટ કરવામાં આવ્યા બાદ મુંબઈ (Mumbai)ની એચએન રિલાયન્સ હૉસ્પિટલ (HN Reliance Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. મુકેશ અંબાણી તેમની સાથે કલિના એરપોર્ટ (Kalina Airport)થી હૉસ્પિટલ પહોંચ્યા હતા. જેના વીડિયો સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
View this post on Instagram
જોકે, પરિવારજનોએ આ બાબતે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાં સુધીમાં કોકિલાબેન અંબાણીની તબિયત વિશે પરિવાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ કોકિલબેનની વહુ નીતા અંબાણી (Nita Ambani) હૉસ્પિટલ જતા જોવા મળ્યા હતા. તેમજ તેમનો દીકરો અને અનિલ અંબાણી અને વહુ ટીના અંબાણી (Tina Ambani) પણ કલિના એરપોર્ટ પર જોવા મળ્યા હતા. પાપારાઝી વિરલ ભાયાણી અને યોગેન શાહના સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પર અંબાણી પરિવારના અનેક વીડિયો અને તસવીરો પોસ્ટ કરાયાં છે.
View this post on Instagram
View this post on Instagram
અહેવાલો અનુસાર, કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક બગડતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શું થયું છે તેના વિશે વધુ માહિતી નથી. તેમજ, અત્યારે તેમની તબિયત કેટલી સ્થિર છે તે વિશે કંઈ જાણવા મળ્યું નથી.
View this post on Instagram
૯૦ વર્ષીય કોકિલાબેન અંબાણીને ૨૧ ઓગસ્ટની રાત્રે એરલિફ્ટ કરીને મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં દાખલ (Kokilaben Ambani admitted to hospital) કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ઝડપી ટ્રાન્સફર સુનિશ્ચિત કરવા માટે તેમનું વિમાન કલિના એરપોર્ટ પર ઉતર્યું હતું. અંબાણી પરિવારે હજી સુધી તેમની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.
૧૯૩૪માં ગુજરાત (Gujarat)ના જામનગર (Jamnagar)માં જન્મેલા કોકિલાબેન અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani)ના વિધવા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઝડપી વિસ્તરણ દરમિયાન તેમના બાળકોને માર્ગદર્શન આપવામાં શાંત છતાં સ્થિર ભૂમિકા ભજવી છે.
લાઇમલાઇટ અને મીડિયાથી દૂર રહેતા કોકિલાબેન તેમની પરોપકારી ભાવના, આધ્યાત્મિક ભક્તિ અને પારિવારિક એકતા પ્રત્યે પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલનું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું હતું અને ત્યારથી તે ભારતની અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી હેલ્થકેર સંસ્થાઓમાંની એક બની ગઈ છે.
તેમના અચાનક હોસ્પિટલમાં દાખલ થવાથી વ્યાપક ચિંતા ફેલાઈ છે, ઘણા લોકો તેમના સ્વાસ્થ્ય અંગે વધુ અપડેટ્સની રાહ જોઈ રહ્યા છે. અંબાણી પરિવારના વડાની તબિયતના સમાચારે રાષ્ટ્રને ચિતિંત કર્યું છે.
હાલ, કોકિલાબેન અંબાણી એચએન રિલાયન્સ હૉસ્પિટલના વરિષ્ઠ ડોકટરોની દેખરેખ હેઠળ છે, જ્યારે પરિવાર તેમના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખી રહ્યો છે.

