Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra Politics: શિવસૈનિકોના પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારને બળવાખોર ધારાસભ્યોને આપી સુરક્ષા

Maharashtra Politics: શિવસૈનિકોના પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારને બળવાખોર ધારાસભ્યોને આપી સુરક્ષા

26 June, 2022 08:15 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસૈનિકો બળવાખોર ધારાસભ્યોનો સતત વિરોધ કરી રહ્યા છે. જેના કારણે બળવાખોરોએ મહારાષ્ટ્ર સરકાર પાસે પોતાની અને પરિવારની સુરક્ષાની માંગ કરી હતી

એકનાશ શિંદે સાથે અન્ય ધારાસભ્યો

એકનાશ શિંદે સાથે અન્ય ધારાસભ્યો


મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસૈનિકો બળવાખોર ધારાસભ્યોનો સતત વિરોધ કરી રહ્યા છે. જેના કારણે બળવાખોરોએ મહારાષ્ટ્ર સરકાર પાસે પોતાની અને પરિવારની સુરક્ષાની માંગ કરી હતી. હવે આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર શિંદે જૂથના 16 ધારાસભ્યોના ઘરે સુરક્ષા પ્રદાન કરશે.

શિંદે જૂથની અપીલ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. શનિવાર, 25 જૂને, એકનાથ શિંદે જૂથે કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજ્યપાલને પત્ર લખ્યો હતો, ત્યારબાદ હવે તેમના પરિવારોને સુરક્ષા આપવામાં આવી રહી છે. આજે સાંજ સુધીમાં તમામ ધારાસભ્યોના ઘરે CRPF જવાનો તૈનાત કરી દેવામાં આવશે. આ ધારાસભ્યોને Y+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.



મહારાષ્ટ્ર સરકાર પાસેથી પણ સુરક્ષા માંગવામાં આવી હતી
કેન્દ્ર સરકાર સમક્ષ એકનાથ શિંદે જૂથે પણ મહારાષ્ટ્ર સરકાર પાસે તેમના પરિવાર માટે સુરક્ષાની માંગ કરી હતી. જો કે, તેના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ધારાસભ્યોની સુરક્ષામાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી. આ સાથે જે ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ કરવામાં આવી છે ત્યાં પોલીસ ફોર્સ તૈનાત કરવાની સૂચના પણ આપવામાં આવી છે. દરમિયાન અપક્ષ સાંસદ નવનીત રાણાએ પણ બળવાખોર ધારાસભ્યોના પરિવારજનો માટે સુરક્ષાની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે વર્તમાન સંજોગોમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ. જો કે હવે સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા આપવામાં આવી રહી છે.


જણાવી દઈએ કે એકનાથ શિંદે અને શિવસેનાના તમામ ધારાસભ્યો છેલ્લા એક સપ્તાહથી આસામના ગુવાહાટીમાં ઉભા છે. બધાએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો શરૂ કરી દીધો છે. આ બળવાખોરોને સમજાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તે કામ ન થયું. જે બાદ ઉદ્ધવ ઠાકરે પોતે સીએમ આવાસ છોડી ગયા હતા. હવે શિવસેના દ્વારા બળવાખોરો સામે કાર્યવાહી કરવાનું કહેવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ શિંદે જૂથ પણ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2022 08:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK