Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મલાડ: બૉયફ્રેન્ડ સાથે મળીને કરી પતિની હત્યા, બાઈક પર મૃતદેહ લઈ જતા ઝડપાયા

મલાડ: બૉયફ્રેન્ડ સાથે મળીને કરી પતિની હત્યા, બાઈક પર મૃતદેહ લઈ જતા ઝડપાયા

Published : 11 February, 2025 09:43 PM | Modified : 12 February, 2025 07:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Crime News: પોલીસ મુજબ, રાજેશ મજૂરી કરતો હતો અને તે તેની પત્ની પૂજા, સાત વર્ષનો પુત્ર અને નવ વર્ષની દીકરી સાથે માલાડ પશ્ચિમના ગાંવદેવી મંદિર વિસ્તારમાં રહેતો હતો. ઉત્તર પ્રદેશના એક જ જિલ્લાના હોવાથી રાજેશ અને મન્સૂરી મિત્રો હતા.

પ્રતિકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતિકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


કી હાઇલાઇટ્સ

  1. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી
  2. લાશ છુપાવવાનો પ્રયાસ કર્યો, પણ સીસીટીવીમાં ઝડપાઈ ગયા
  3. પતિ ગુમ થયા હોવાની ફરિયાદ કર્યા છતાં પણ સજામાંથી બચી શક્યા નહીં

મુંબઈના માલવણી વિસ્તારમાં હત્યાની ઘટના બાદ ખળભળાટ મચી ગયો છે. વેલેન્ટાઇન વીક દરમિયાન એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી. મહિલાએ ઘરમાં જ ધારદાર હથિયારથી પતિ પર હુમલો કરી તેની હત્યા કરી દીધી. પછી પ્રેમી સાથે મળી મૃતદેહને છુપાવવાનો પ્રયાસ કર્યો, પણ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તેમની ત્રણ કલાકમાં ધરપકડ કરીને આ કેસનો ભેદ ઉકેલી દીધો. પોલીસે બંને આરોપીઓને પકડી લીધા છે. પૂછપરછ દરમિયાન મહિલાએ દાવો કર્યો કે તે પતિની દારૂની લતથી પરેશાન હતી અને તેથી તેની હત્યા કરી.


પત્ની અને પ્રેમી મળીને પતિની હત્યા કરી
માલવણી પોલીસના જણાવ્યા અનુસાર, પૂજા ચૌહાણ અને ઇમરાન મન્સૂરી (26 વર્ષ) એ તેમના પ્રેમ સંબંધના કારણે રાજેશની હત્યા કરી. આ ઘટના રાજેશના ઘરે તેના બન્ને બાળકોની હાજરીમાં બની હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પૂજા અને મન્સૂરીએ રાજેશથી છુટકારો મેળવવાની યોજના બનાવી હતી. શનિવાર રાત્રે, બંનેએ મળીને રાજેશની હત્યા કરી અને પછી લોહીના ડાઘ સાફ કરી નાખ્યા. હત્યા બાદ, રાજેશના મૃતદેહને છુપાવવા માટે બંનેએ મળીને તેને બાઇક પર બેસાડ્યો અને તેના શરીર પર શાલ ઓઢાડી દીધી. તેઓએ બહાનું કર્યું કે રાજેશની તબિયત ખરાબ છે જેથી તેને ડૉક્ટર પાસે લઈ જઈ રહ્યા છે. આ લગભગ અડધો કિમી સુધી આગળ ગયા અને પણ પછી ગભરાઈ ગયા અને જવાનું ટાળ્યું. અંતે, તેઓએ રાજેશનો મૃતદેહ ફેંકી દીધો અને માલવણી પોલીસ સ્ટેશન જઈને રાજેશ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી.



પોલીસને મળેલી સીસીટીવી ફૂટેજમાં પૂજા અને મન્સૂરીને બાઇક પર રાજેશ સાથે દેખાયા. જ્યારે પોલીસે પૂછપરછ કરી કે તેઓ રાજેશને ક્યાં લઈ ગયા હતા, ત્યારે બંનેના જવાબ એકબીજાથી એકદમ જુદા હતા. ડીસીપી આનંદ ભોઇતે અને સિનિયર ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર નાગરકરની દેખરેખ હેઠળ, પોલીસે દંપતીના ઘરની તપાસ કરી અને ત્યાં લોહીના ડાઘ મળી આવ્યા. હવે, પૂજા અને મન્સૂરી બંનેને પોલીસે પકડી લીધા છે, જ્યારે તેમના બે સગીર બાળકો આ ઘટનાથી આઘાતમાં છે.


પોલીસ મુજબ, રાજેશ મજૂરી કરતો હતો અને તે તેની પત્ની પૂજા, સાત વર્ષનો પુત્ર અને નવ વર્ષની દીકરી સાથે માલાડ પશ્ચિમના ગાંવદેવી મંદિર વિસ્તારમાં રહેતો હતો. ઉત્તર પ્રદેશના એક જ જિલ્લાના હોવાથી રાજેશ અને મન્સૂરી મિત્રો હતા. થોડા મહિના પહેલા, મન્સૂરી મુંબઈ આવ્યો, પરંતુ તેના પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી અને નોકરી પણ નહોતી. રાજેશે દયાળુ બનીને તેને પોતાના ઘરે આશરો આપ્યો અને નોકરી શોધવામાં પણ મદદ કરી. મન્સૂરી પણ મજૂરીનું કામ કરતો હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2025 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK