Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુમ્બ્રા નજીક લોકલ ટ્રેને રખડતા ઢોરને અડફેટે લેતા ટ્રેન સેવાઓ ખોરવાઈ

મુમ્બ્રા નજીક લોકલ ટ્રેને રખડતા ઢોરને અડફેટે લેતા ટ્રેન સેવાઓ ખોરવાઈ

Published : 20 May, 2025 02:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Local Train Updates: થાણે સ્ટેશન નજીક લોકલ ટ્રેને રખડતા ઢોરને ટક્કર મારી, જેના કારણે ભેંસનું તાત્કાલિક મૃત્યુ થયું

થાણે અને કલ્યાણ વચ્ચે દોડતી બધી ફાસ્ટ ટ્રેનોને ડાઉન સ્લો લાઇન પર વાળવામાં આવી હતી (તસવીર: અક્ષય મહાપદી)

થાણે અને કલ્યાણ વચ્ચે દોડતી બધી ફાસ્ટ ટ્રેનોને ડાઉન સ્લો લાઇન પર વાળવામાં આવી હતી (તસવીર: અક્ષય મહાપદી)


આજે સવારે મુંબઈ (Mumbai)ની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન (Mumbai Local Train)ના પાટાઓ પર એક વિચિત્ર અને દુઃખદ ઘટના ઘટી હતી. મંગળવારે સવારે આશરે ૧૦:૩૦ વાગ્યે, કલ્યાણ (Kalyan) તરફ જતી એક ઝડપી લોકલ ટ્રેને મુમ્બ્રા (Mumbra) રેલવે સ્ટેશન નજીક એક રખડતા ઢોરને ટક્કર મારી, જેના કારણે ભેંસનું તાત્કાલિક મૃત્યુ થયું. આ ટક્કર ખૂબ જ ગંભીર હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ભેંસનું મૃત શરીર ટ્રેનના પૈડામાં ફસાઈ ગયું. આ અકસ્માતમાં ભેંસનું મૃત શરીર લોકલ ટ્રેનના પૈડામાં ફસાઈ ગયા બાદ રેલ સેવાઓમાં મોટો અવરોધ (Mumbai Local Train Updates) સર્જાયો હતો.


કલ્યાણ તરફ જતી ફાસ્ટ લોકલે મુમ્બ્રા રેલવે સ્ટેશન નજીક એક રસ્તે રખડતી ભેંસને ટક્કર મારી હતી અને ભેંસનું મૃત્યુ થયું હતું. ભેંસનું મૃત શરીર ટ્રેનના પૈડામાં ફસાઈ જતા રેલ વ્યવહાર ખોરવાયો હતો. આ ઘટનાને કારણે થાણે સ્ટેશન નજીક ટ્રેન અચાનક અટકી ગઈ, જેના કારણે સમગ્ર રૂટ પર વિલંબ થયો. આ ઘટનાને કારણે ઘણી ટ્રેનોની અવરજવર પર અસર પડી.



આ દરમિયાન, થાણે અને કલ્યાણ વચ્ચે દોડતી બધી જ ઝડપી ટ્રેનોને ડાઉન સ્લો લાઇન પર વાળવામાં આવી હતી. પરિણામે, રૂટ બદલવાને કારણે સમગ્ર રુટ પર ભારે ભીડ અને અનિશ્ચિત વિલંબ થયો, જેના કારણે હજારો દૈનિક મુસાફરોને મુશ્કેલી પડી.


છેલ્લી માહિતી મળી તે પ્રમાણે, સત્તાવાળાઓ ટ્રેક ખાલી કરવા અને વહેલી તકે નિયમિત સેવાઓ ફરી શરૂ કરવા માટે કામ કરી રહ્યા છે.

મંગળવારે અગાઉ, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હરદોઈ (Hardoi) જિલ્લામાં પોલીસે રાજધાની એક્સપ્રેસ (Rajdhani Express) સહિત બે ટ્રેનોને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેનના ડ્રાઇવરે સમયસર ટ્રેક પર અવરોધ જોયો અને સંભવિત દુર્ઘટનાને રોકવા માટે ઝડપથી કાર્યવાહી કરી.


પોલીસે જણાવ્યું કે સોમવારે સાંજે, અજાણ્યા બદમાશોએ દલેલનગર (Dalelnagar) અને ઉમરતાલી (Umartali) સ્ટેશનો વચ્ચે કિલોમીટર 1129/14 પર ટ્રેક પર અર્થિંગ વાયરનો ઉપયોગ કરીને લાકડાના બ્લોક બાંધ્યા હતા.

દિલ્હીથી આસામ (Assam)ના ડિબ્રુગઢ (Dibrugarh) જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ (20504)ના લોકો પાઇલટે અવરોધ જોયા પછી ઇમરજન્સી બ્રેક લગાવી. પોલીસે જણાવ્યું કે, તેમણે તેને દૂર કરી અને રેલવે અધિકારીઓને જાણ કરી.

રાજધાની એક્સપ્રેસ પછી આવતી કાઠગોદામ એક્સપ્રેસ (Kathgodam Express - 15044)ને પાટા પરથી ઉતારવાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પોલીસે જણાવ્યું કે લોકો પાઇલટની જાગૃતિને કારણે આ ઘટના ટાળી દેવામાં આવી.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, સોમવારે સાંજે સુપરિન્ટેન્ડેન્ટ નીરજ કુમાર જદૌન (Neeraj Kumar Jadaun)એ સ્થળની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી. સુપરિન્ટેન્ડેન્ટે પુષ્ટિ આપી હતી કે સરકારી રેલવે પોલીસ (Government Railway Police), રેલવે પ્રોટેક્શન ફોર્સ (Railway Protection Force) અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાઓની તપાસ કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2025 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK