અધિકારીઓ 18 ઑગસ્ટના રોજ ટેન્ડર ખોલશે. રેલવે અધિકારીઓએ આજે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે 11 જુલાઈ, 2006 ના રોજ મુંબઈ સબર્બન રેલવે વિસ્ફોટો અને ત્યારબાદ આવેલા અન્ય જોખમો પછી છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવેએ તેમની સુરક્ષા નીતિમાં ફેરફારો કર્યા.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈની લાઇફ લાઇન ગણાતી લોકલ ટ્રેનોની સુરક્ષામાં મોટો વધારો કરવામાં આવવાના સમાચાર સામે આવ્યા છે. મુંબઈની ઉપનગરીય રેલવે સિસ્ટમની હાલની સુરક્ષા વ્યવસ્થામાં મોટા પાયે સુધારો થવા જઈ રહ્યો છે. રેલવે નેટવર્કમાં દરરોજ 65 થી 70 લાખ મુસાફરો પ્રવાસ કરે છે. પશ્ચિમ રેલવે મુંબઈમાં 1,615 કોચમાં 12,446 વીડિયો સર્વેલન્સ સિસ્ટમ સીસીટીવી કૅમેરા ઇન્સ્ટોલ કરશે. પશ્ચિમ બાદ મધ્ય રેલવે તેમની ટ્રેનોમાં પણ VSS ઇન્સ્ટોલ કરશે. મહિલા ડબ્બા અને રેલવે સ્ટેશનોમાં CCTV નેટવર્ક પહેલાથી જ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.
લોકલ ટ્રેનોના તમામ કોચમાં VSS ઇન્સ્ટોલ કરવામાં આવશે
ADVERTISEMENT
123 કિમી લાંબા ચર્ચગેટ-દહાણુ ઉપનગરીય કોરિડોર પર ચાલતી શટલ ટ્રેનો ઉપરાંત, AC અને નોન-AC લોકલ ટ્રેનોના તમામ કોચમાં VSS ઇન્સ્ટોલ કરવામાં આવશે. તે મોટરમૅન કૅબિન અને ટ્રેન મેનેજરોનું પણ નિરીક્ષણ કરશે. મધ્ય રેલવે CSMT-કર્જત/કસારા/પનવેલ કોરિડોર પર ચાલતી તેની સ્થાનિક ટ્રેનોમાં પણ VSS ઇન્સ્ટોલ કરાશે. સંબંધિત વિભાગો દ્વારા વિગતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
પશ્ચિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે કોચમાં VSS ના સપ્લાય, ઇન્સ્ટોલેશન, પરીક્ષણ અને કમિશનિંગ માટે ટેન્ડર મગાવવામાં આવ્યા છે. અધિકારીઓ 18 ઑગસ્ટના રોજ ટેન્ડર ખોલશે. રેલવે અધિકારીઓએ આજે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે 11 જુલાઈ, 2006 ના રોજ મુંબઈ સબર્બન રેલવે વિસ્ફોટો અને ત્યારબાદ આવેલા અન્ય જોખમો પછી છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવેએ તેમની સુરક્ષા નીતિમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે.
"લોકલ ટ્રેનોમાં સીસીટીવીની સંખ્યા વધારવાની જરૂર છે," ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય રાજીવ સિંઘલે જણાવ્યું હતું, જે રેલવે અધિકારીઓ અને મુસાફરો વચ્ચે સંવાદ માટેનું મંચ છે. "હાલમાં, ભિખારીઓ, ટ્રાન્સજેન્ડર અને અન્ય તત્વો લોકલ ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરે છે. અધિકારીઓએ સ્ટેશનો પર તહેનાત રેલવે પોલીસ કર્મચારીઓને પણ ઠપકો આપવો જોઈએ, જેઓ ટ્રેનો અને સ્ટેશનો પર નજર રાખવા કરતાં તેમના મોબાઇલ ફોન જોવામાં વધુ વ્યસ્ત છે." સિંઘલે ગયા અઠવાડિયે પશ્ચિમ રેલવેના અધિકારીઓ સમક્ષ આ મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
રેલવેમાં સુરક્ષા નબળી પડી? મહિલાને માલગાડી સામે ધકેલી દીધી
છેડતી કરનારા બદમાશે તાબે ન થયેલી મહિલાને ધક્કો મારીને પ્લૅટફૉર્મ નજીકથી પસાર થતી માલગાડી આગળ ફેંકી દેવાની આંચકાજનક ઘટના દિવા સ્ટેશન પર બની હતી. ટ્રેન નીચે કચડાતાં પીડિત મહિલાએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. સ્ટેશન પર કામ કરતા સફાઈ-કામદાર તુલસીદાસ કામડી ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી બનતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે થાણે પોલીસે ૩૯ વર્ષના રાજન સિંહ નામના માણસની ધરપકડ કરી છે.
ફરિયાદીએ આપેલી માહિતી મુજબ દિવા સ્ટેશન પર શુક્રવારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ પ્લૅટફૉર્મ નંબર ૫/૬ પર બે જણના ઝઘડવાનો અવાજ આવી રહ્યો હતો. ત્યારે પ્લૅટફૉર્મ નંબર ૭/૮ પર કામ કરતા સફાઈ-કર્મચારીએ એ તરફ જોયું તો એક પુરુષે મહિલાને ગળામાં હાથ નાખીને આગળથી પકડી લીધી હતી. મહિલા પોતાને છોડાવવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યારે જ એક માલગાડી ત્યાંથી પસાર થતાં આરોપીએ મહિલાને પ્લૅટફૉર્મ પરથી ધક્કો મારી દીધો હતો. ટ્રેન નીચે આવી જતાં મહિલાનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું. ત્યાર બાદ આરોપી ટ્રૅક પરથી ભાગીને છટકવા માગતો હતો ત્યારે દિવા સ્ટેશન પર હાજર કૉન્સ્ટેબલ સાગર શિંદેએ તેને પકડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ પુરુષ અને મહિલા એકબીજાને ઓળખતાં ન હોવાનું જણાયું છે.

