Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Oshiwara Firing Case: ‘દેશદ્રોહી’ અભિનેતા KRK ન્યાયિક કસ્ટડીમાં જ રહેશે, જામીન અરજી રદ

Oshiwara Firing Case: ‘દેશદ્રોહી’ અભિનેતા KRK ન્યાયિક કસ્ટડીમાં જ રહેશે, જામીન અરજી રદ

Published : 27 January, 2026 08:35 PM | Modified : 27 January, 2026 08:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગયા અઠવાડિયાની શરૂઆતમાં, મુંબઈ પોલીસે ઓશિવારા ફાયરિંગ ઘટનાના સંદર્ભમાં પૂછપરછ કર્યા પછી KRKની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 18 જાન્યુઆરી, 2026 ના રોજ ઓશિવારા સ્થિત નાલંદા સોસાયટીમાં બે ગોળીઓ મળી આવી હતી.

KRK અને તેની ફિલ્મ `દેશદ્રોહી`માંથી એક સીનનો સ્ક્રીન ગ્રૅબ

KRK અને તેની ફિલ્મ `દેશદ્રોહી`માંથી એક સીનનો સ્ક્રીન ગ્રૅબ


મુંબઈ ઓશિવારા ફાયરિંગ કેસમાં, ‘દેશદ્રોહી’ ફેમ અભિનેતા અને સ્વ-ઘોષિત ફિલ્મ કૃતિક કમાલ આર. ખાન (KRK)ને અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. પોલીસ કસ્ટડી પૂર્ણ કર્યા બાદ મંગળવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતા. કેસ હજી પણ તપાસ હેઠળ છે. કોર્ટ વધુ સુનાવણી માટે તારીખ નક્કી કરશે. ગયા અઠવાડિયાની શરૂઆતમાં, મુંબઈ પોલીસે ઓશિવારા ફાયરિંગ ઘટનાના સંદર્ભમાં પૂછપરછ કર્યા પછી KRKની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 18 જાન્યુઆરી, 2026 ના રોજ ઓશિવારા સ્થિત નાલંદા સોસાયટીમાં બે ગોળીઓ મળી આવી હતી. એક ગોળી બીજા માળે અને બીજી ચોથા માળે મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે એક ફ્લૅટ લેખક-દિગ્દર્શકનો હતો, જ્યારે બીજો ફ્લૅટ એક મોડેલનો હતો.

તપાસની શરૂઆતમાં, સીસીટીવી ફૂટેજ જોઈ ફાયરિંગ કોણે કરી તે ઓળખી શકાયું નહોતું. ત્યારબાદ, ફોરેન્સિક ટીમની મદદથી, પોલીસે સિદ્ધાંત આપ્યો કે ગોળી નજીકના સ્થિત કમાલ આર. ખાનના બંગલામાંથી ચલાવવામાં આવી હશે. આ પછી, ઓશિવારા પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ તપાસ વધુ તીવ્ર બનાવી. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન, કમાલ આર. ખાને કબૂલ્યું કે ગોળીબાર તેની લાઇસન્સવાળી બંદૂકથી થયો હતો. ત્યારબાદ હથિયાર જપ્ત કરવામાં આવ્યું હતું, અને બીજા દિવસે સવારે તેની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી. તેને અગાઉ બાન્દ્રા કોર્ટ દ્વારા 27 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.



KRK એ બૉલિવૂડ કલાકારો પર લગાવ્યા આરોપ



ઝોન 9 પોલીસ કમિશનરે ધરપકડની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે કમાલ આર. ખાનની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે અને તેની પૂછપરછ ચાલુ છે. પોતાના નિવેદનમાં, કમાલ આર. ખાને જણાવ્યું હતું કે તે તેની લાઇસન્સવાળી બંદૂક સાફ કરી રહ્યો હતો અને પરીક્ષણ તરીકે ગોળી ચલાવી હતી. તેમનો દાવો છે કે તેમને લાગ્યું હતું કે ગોળી નજીકના મેન્ગ્રોવ વિસ્તારમાં પડશે, પરંતુ ભારે પવનને કારણે ગોળી રહેણાંક મકાન પર પડી. કમાલ આર. ખાનના વકીલ, નજેશ મિશ્રાએ આ કેસમાં પોલીસ કાર્યવાહીની નિંદા કરી છે. તેમણે જણાવ્યું હતું કે કેસ ખોટો છે અને તેમના ક્લાયન્ટને ફસાવવામાં આવી રહ્યો છે. તેમનો દાવો છે કે ગોળી જ્યાંથી મળી આવી હતી ત્યાં સુધી ગોળી પહોંચવી અશક્ય છે. KRK એ એવો પણ આરોપ લગાવ્યો હતો કે બૉલિવૂડના કેટલાક કલાકારો પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યા છે. દરમિયાન, કમાલ આર. ખાન વતી અંધેરી કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. તેમના વકીલ, સના રઈસ ખાને ધરપકડને પાયાવિહોણી ગણાવી હતી અને જણાવ્યું હતું કે આરોપીનો ગોળીબારની ઘટના સાથે કોઈ સીધો સંબંધ નથી. હાલમાં, કમાલ આર. ખાન ન્યાયિક કસ્ટડીમાં છે અને ઓશિવારા ગોળીબારની તપાસ ચાલુ છે.

Whatsapp-channel Whatsapp-channel

27 January, 2026 08:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK