Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જાતિઆધારિત વસ્તીગણતરીનું NCPએ પણ કર્યું સમર્થન

જાતિઆધારિત વસ્તીગણતરીનું NCPએ પણ કર્યું સમર્થન

23 April, 2024 07:41 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અજિત પવારે મૅનિફેસ્ટો જાહેર કર્યો હતો, જેમાં તેમણે જાતિઆધારિત વસ્તીગણતરીની માગણીનું સમર્થન કર્યું હતું

અજીત પવાર

અજીત પવાર


લોકસભાની ચૂંટણી માટે ગઈ કાલે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મૅનિફેસ્ટો જાહેર કર્યો હતો, જેમાં તેમણે જાતિઆધારિત વસ્તીગણતરીની માગણીનું સમર્થન કર્યું હતું. અજિત પવારે ચૂંટણીઢંઢેરો જાહેર કરતી વખતે ગઈ કાલે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વ. યશવંતરાવ ચવાણને ભારતરત્ન આપવાની માગણી કરવામાં આવશે એમ જણાવીને કહ્યું હતું કે ‘અમારી પાર્ટી જાતિ, પંથ અને ધર્મની આગળ વધીને દરેક વ્યક્તિને એક માણસના રૂપમાં જીવવાનો અધિકાર આપવામાં વિશ્વાસ કરે છે. સમાનતા અને એકતામાં માને છે. પાર્ટીને સમાજસુધારક સાને ગુરુજીએ આપેલા ‘દુનિયાને પ્રેમ આપવો જ એ જ સાચો ધર્મ છે’ મંત્રમાં ભરોસો છે. આપણે સમાજના વંચિત અને પાછળ રહી ગયેલા ઘટકોને મુખ્ય ધારામાં લાવવા પડશે. જનતા અમને સત્તામાં લાવવા માટે મતદાન કરશે તો અમે જાતિ આધારિત વસ્તીગણતરી કરવાની માગણી કરીશું.’
ઉલ્લેખનીય છે કે NCPના એક સમયના સહયોગી પક્ષ કૉન્ગ્રેસે દેશભરમાં જાતિઆધારિત વસ્તીગણતરી કરવા માટેની માગણી કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2024 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK