રામનવમીમાં ભગવાન રામનાં પ્રતીકો અને રામાયણનાં દૃશ્યો ડ્રોન દ્વારા દર્શાવાશે
પ્રતીકાત્મક તસવીર
રામનવમી નિમિત્તે આઝાદ મેદાનમાં ડ્રોન દ્વારા શોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેટ કલ્ચરલ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૬ અને ૨૭ માર્ચે સાંજે ૭ વાગ્યાથી આઝાદ મેદાનમાં ૨૦૦૦ ડ્રોન સાથે ડ્રોન-શો યોજાશે. ગુઢીપાડવા દરમ્યાન મરીન ડ્રાઇવ નજીક યોજાયેલા ડ્રોન-શોમાં બનાવેલી ગુઢીની જેમ રામનવમીમાં ભગવાન રામનાં પ્રતીકો અને રામાયણનાં દૃશ્યો ડ્રોન દ્વારા દર્શાવાશે.
