25 એપ્રિલની રાત્રે, પાયધુની વિસ્તારમાં રહેતા અબ્દુલ્લા દોકાડિયા (45), તેમની પત્ની નસરીન (40) અને તેમની બે દીકરીઓ આયેશા (16) અને ઝૈનબ (13) ના ઘરે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ઘણા મિત્રો અને સંબંધીઓ હાજર રહ્યા હતા.
ડોકાડિયા પરિવાર
દક્ષિણ મુંબઈના પાયધુની વિસ્તારમાં કથિત રીતે તરબૂજ ખવાને લીધે એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા, આ ઘટનાએ આખા શહેરને હચમચાવી નાખી હતી. શરૂઆતમાં, આ ઘટના તરબૂજના લીધે ફૂડ પોઈઝનિંગનો દુર્ભાગ્યપૂર્ણ કેસ લાગી રહ્યો હતો. જોકે, ફોરેન્સિક લૅબના રિપોર્ટમાં હવે આ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો. મૃતકના આંતરિક અંગોના નમૂનાઓ તેમજ તેમણે ખાધેલા તરબૂચમાં ઝીંક ફોસ્ફાઇડ (ઉંદરનું ઝેર)ના મળી આવ્યું હતું. પરિણામે, શંકાઓ વધુ તીવ્ર બની છે કે આ ઘટના માત્ર અકસ્માત ન હતી, પરંતુ સામૂહિક આત્મહત્યાનો કેસ હતો.
શું હતી ઘટના?
ADVERTISEMENT
25 એપ્રિલની રાત્રે, પાયધુની વિસ્તારમાં રહેતા અબ્દુલ્લા દોકાડિયા (45), તેમની પત્ની નસરીન (40) અને તેમની બે દીકરીઓ આયેશા (16) અને ઝૈનબ (13) ના ઘરે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ઘણા મિત્રો અને સંબંધીઓ હાજર રહ્યા હતા. બિરયાની સહિત વિવિધ વાનગીઓનો આનંદ માણ્યા પછી, બધા મહેમાનો પોતપોતાના ઘરે જવા ગયા. ત્યારબાદ, 26 એપ્રિલની સવારે લગભગ 1:00 વાગ્યે, પરિવારના સભ્યોએ તેમના ફ્રિજમાં રાખેલું તરબૂચ ખાધું. તે ખાધા પછી થોડા સમય પછી, ચારેય વ્યક્તિઓને ઉલ્ટી અને ઝાડા થવા લાગ્યા. તેમની તબિયત વધુ બગડતા, તેમને શરૂઆતમાં ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બાદમાં, તેમની તબિયત વધુ બગડતા, તેમને સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જોકે, સારવાર દરમિયાન ચારેયનું મૃત્યુ થયું. પરિવાર છેલ્લા બે વર્ષથી પાયધુનીમાં તેમના કાકાના ઘરે રહેતો હતો. આ દુર્ઘટનામાં મૃત્યુનું કારણ ઉકેલાય બાદ તે ફરી ચર્ચામાં આવ્યો છે કરણ કે ડોકાડિયા પરિવારની પુત્રી, આયેશાનું ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ બે દિવસ પહેલા જ જાહેર થયું છે. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી માધ્યમિક શાળા પ્રમાણપત્ર (SSC) ની પરીક્ષાનું પરિણામ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું. આયેશાએ 70 ટકા ગુણ મેળવીને પરીક્ષા પાસ કરી છે. તેના પડોશીઓએ જણાવ્યું હતું કે તે એક બ્રાઇટ સ્ટુડન્ટ હતી અને રમતી વખતે પણ, તે તેના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન રાખતી હતી. સફળતાની આ ક્ષણની ઉજવણી કરવા માટે તે હવે જીવંત નથી તે હકીકત પર સમુદાયે ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો છે.
પોલીસ તપાસ શરૂ
આ દરમિયાન, ચાલુ તપાસમાં હવે એ નક્કી કરવાનું છે કે તરબૂચમાં ઉંદરનું ઝેર કેવી રીતે આવ્યું. પાયધુની પોલીસે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું ફળ કાપતી વખતે ઝેર ભૂલથી તેમાં ભેળવી દેવામાં આવ્યું હતું કે પછી જાણી જોઈને ઉમેરવામાં આવ્યું હતું. પોલીસે હવે હત્યા અને સામૂહિક આત્મહત્યા બન્ને શક્યતાઓની તપાસ શરૂ કરી છે. તેઓ હાલમાં તે રાત્રે પાર્ટીમાં હાજર રહેલા વ્યક્તિઓ તેમજ બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે.
