Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રિલાયન્સ ફાઉન્ડેશન શાળાના વિદ્યાર્થીએ CBSE 12 બોર્ડ પરીક્ષામાં મેળવ્યા 99 ટકા

રિલાયન્સ ફાઉન્ડેશન શાળાના વિદ્યાર્થીએ CBSE 12 બોર્ડ પરીક્ષામાં મેળવ્યા 99 ટકા

Published : 14 May, 2026 07:19 PM | Modified : 14 May, 2026 07:22 PM | IST | Navi Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મિતે અંકિત છેડાએ તેની સફળતાનો શ્રેય તેના શિક્ષકોના માર્ગદર્શન અને તેના પરિવારના સમર્થનને આપ્યો છે. તેણે કહ્યું કે, કઠોર વ્યૂહરચના પર આધાર રાખવાને બદલે, તેણે તેની તૈયારીના દરેક તબક્કે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

મીત અંકિત છેડા

મીત અંકિત છેડા


રિલાયન્સ ફાઉન્ડેશન શાળાના વિદ્યાર્થી મીત અંકિત છેડાએ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં 99 ટકા ગુણ મેળવ્યા છે. મીતે પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કુલ 500 માંથી 495 ગુણ મેળવ્યા છે. મીતે અંકિત છેડાને કમ્પ્યુટર સાયન્સમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે, જ્યારે અંગ્રેજી, ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં 99 ગુણ મેળવ્યા છે. શાળાના મૅનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ સિદ્ધિ તેની સતત મહેનત, શિસ્તબદ્ધ અભ્યાસ અભિગમ અને શાળા દ્વારા આપવામાં આવેલા શૈક્ષણિક વાતાવરણનું પરિણામ છે.

શિક્ષકોના માર્ગદર્શને આપ્યો સફળતાનો શ્રેય



મિતે અંકિત છેડાએ તેની સફળતાનો શ્રેય તેના શિક્ષકોના માર્ગદર્શન અને તેના પરિવારના સમર્થનને આપ્યો છે. તેણે કહ્યું કે, કઠોર વ્યૂહરચના પર આધાર રાખવાને બદલે, તેણે તેની તૈયારીના દરેક તબક્કે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મિતના મતે, તેના નાના-નાના દૈનિક પ્રયત્નોમાં સુસંગતતા તેમની સૌથી મોટી તાકાત સાબિત થઈ. મિતે શૅર કર્યું કે તે સવારના સમયે તેના અભ્યાસ પર ખાસ ધ્યાન આપતો હતો, સંપૂર્ણ એકાગ્રતા સાથે અભ્યાસ કરતો હતો. મીતે ઉલ્લેખ કર્યો કે તેણે કોઈ ખાનગી ટ્યુશન પસંદ કર્યું નહોતું; તેના બદલે, તે સતત માર્ગદર્શન માટે અને તેના વિષયોમાં વૈચારિક સ્પષ્ટતા મેળવવા માટે તેના શાળાના શિક્ષકો પર આધાર રાખતો હતો.


નિયમિત પ્રૅક્ટિસ અને આત્મવિશ્વાસ: સફળતાની ચાવી

મીતે નોંધ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલનું શૈક્ષણિક વાતાવરણ, તેના શિક્ષકોના અતૂટ સમર્થન સાથે, તેને સતત શિસ્તબદ્ધ રહેવા અને તેના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરતું હતું. તેણે દરેક વર્ગ કસોટી અને અસાઇમેન્ટને ગંભીરતાથી લીધી, જેના કારણે તેનામાં સતત સુધારો આવતો ગયો. તેણે એ પણ સ્વીકાર્યું કે તેના અભ્યાસ દરમિયાન એવા ક્ષણો આવ્યા જ્યારે તેને મૂંઝવણ અથવા પ્રેરણાના અભાવ સાથે સંકળાયેલી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો; જોકે, તેના આત્મવિશ્વાસે તેને આગળ વધવામાં મદદ મળી. તેના મતે, પોતાના પર વિશ્વાસ રાખવાથી આ પડકારોને દૂર કરવાનું સરળ બન્યું.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2026 07:22 PM IST | Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK