Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > યેઉર હિલ્સમાં વાનરો પર તીર ચલાવનારની માહિતી આપનાર માટે ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર

યેઉર હિલ્સમાં વાનરો પર તીર ચલાવનારની માહિતી આપનાર માટે ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર

Published : 26 March, 2026 09:26 AM | Modified : 26 March, 2026 09:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦ અને બાવીસ માર્ચે અજાણી વ્યક્તિએ બે વાનરો પર તીરથી હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી હતી

વનવિભાગે વાનરોને તીર મારનાર વ્યક્તિની માહિતી આપવા જાહેર કરેલી નોટિસ.

વનવિભાગે વાનરોને તીર મારનાર વ્યક્તિની માહિતી આપવા જાહેર કરેલી નોટિસ.


થાણેના યેઉર હિલ્સ વિસ્તારમાં બે વાનરો સાથે થયેલી ક્રૂરતાની ચોંકાવનારી ઘટનામાં થાણેના વનવિભાગે આરોપીની ઓળખ માટે ૨૫,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કર્યું છે. ૨૦ અને બાવીસ માર્ચે અજાણી વ્યક્તિએ બે વાનરો પર તીરથી હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી હતી, જેના કારણે પ્રાણીઓની સુરક્ષા વિશે મોટી ચિંતા ઊભી થઈ છે. આ કેસમાં તમામ દિશામાં તપાસ કર્યા છતાં હજી સુધી આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી નથી. તેથી આરોપીની ધરપકડ સુધી પહોંચવામાં મદદરૂપ બને એવી વિશ્વસનીય માહિતી આપનાર વ્યક્તિને ઇનામ આપવાનો નિર્ણય વનવિભાગે લીધો છે. યેઉર વિસ્તારના રહેવાસીઓ તેમ જ થાણેના નાગરિકોને તપાસમાં સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે. વનવિભાગે લોકોને વિનંતી કરી છે કે આ ઘટના સંબંધિત કોઈ પણ માહિતી હોય તો આગળ આવીને શૅર કરે, જેથી આરોપીને પકડીને વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

તીર મારનાર વિશે માહિતી આપવા સંતોષ ડગલે (ફોન : 98926 84266) અથવા ચંદ્રકાંત ખંડવી  (ફોન : 93701 14399)નો સંપર્ક કરી શકાય છે.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK