જય પવારે મનોજ જરાંગે પાટીલની મુલાકાત કરી હોવાનું કહેવાય છે
અજિત પવારનો પુત્ર જય
મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી સાથે મહારાષ્ટ્રને માથે લેનારા મનોજ જરાંગે પાટીલને મળવા ગઈ કાલે અચાનક મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો પુત્ર જય મુંબઈથી જળગાવના અંતરવાલી સરાટી દોડી ગયો હતો. મરાઠા આંદોલન વખતે અજિત પવાર જૂથની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા છગન ભુજબળે આક્રમક વલણ અપનાવ્યું હતું. આથી મનોજ જરાંગે પાટીલે મહાયુતિના ઉમેદવારોને મત ન આપવાનું વલણ અપનાવ્યું છે. અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર બારામતીમાં સુપ્રિયા સુળે સામે લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે ત્યારે આ મતદાર ક્ષેત્રમાં વસતા મરાઠા સમાજના લોકો મુશ્કેલી ઊભી ન કરે એ માટે જય પવારે મનોજ જરાંગે પાટીલની મુલાકાત કરી હોવાનું કહેવાય છે. જોકે સત્તાવાર રીતે બન્નેમાંથી કોઈએ આ મુલાકાત વિશે કંઈ કહ્યું નથી.