સૂર્યા વૉટર પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવનારા સમારકામ અને ટેક્નિકલ કામગીરીને કારણે ૪ એપ્રિલથી સમગ્ર વિસ્તારમાં પાણીપુરવઠો ખોરવાઈ જવાની શક્યતા છે.
પ્રતીકાત્મક તસવીર
ઉનાળાની શરૂઆતની સાથે જ વસઈ-વિરારના રહેવાસીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સૂર્યા વૉટર પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવનારા સમારકામ અને ટેક્નિકલ કામગીરીને કારણે ૪ એપ્રિલથી સમગ્ર વિસ્તારમાં પાણીપુરવઠો ખોરવાઈ જવાની શક્યતા છે.
સૂર્યા વૉટર પ્રોજેક્ટની મુખ્ય પાઇપલાઇનમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીઓને દૂર કરવા અને પમ્પિંગ સિસ્ટમની ક્ષમતા વધારવા માટે આ કાપ લાદવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્યાન નિશ્ચિત કરેલા વિસ્તારોમાં વૉટર સપ્લાય સંપૂર્ણપણે બંધ રહેશે અથવા તો ખૂબ જ ઓછા દબાણથી પાણી મળશે. દરેક ઝોનમાં સવારે ૧૦થી બીજા દિવસે સવારે ૧૦ વાગ્યા સુધી ૨૪ કલાક પાણીકાપ રહેશે. પ્રશાસને આ દરમ્યાન પાણીનો અત્યંત કરકસરપૂર્વક ઉપયોગ કરવાની તાકીદ કરી છે.
ADVERTISEMENT
કયા વિસ્તારમાં ક્યારે પાણી નહીં આવે એ જાણી લો
૪ એપ્રિલ : વિરાર ઈસ્ટ અને વેસ્ટ
૫ એપ્રિલ : નાલાસોપારા ઈસ્ટ અને વેસ્ટ
૬ એપ્રિલ : નવઘર, વસઈ
૭ એપ્રિલ : વિરાર ઈસ્ટ અને વેસ્ટ
૮ એપ્રિલ : નાલાસોપારા ઈસ્ટ અને વેસ્ટ
૯ એપ્રિલ : નવઘર, વસઈ
૧૦ એપ્રિલ : વિરાર-વેસ્ટ, નાલાસોપારા-વેસ્ટ
