Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


સતત ભારે વરસાદને કારણે વસઈ-વિરાર પટ્ટાના વિસ્તારોને ભારે અસર થઈ છે.

ફોટોઝ: વસઈ-વિરારમાં ભારે વરસાદ, પૂરને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું

સતત ભારે વરસાદને કારણે વસઈ-વિરાર પ્રદેશના ઘણા ભાગો પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે ગંભીર પાણી ભરાઈ ગયા છે, લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે અને રોજિંદા જીવનને અસર થઈ છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને તેના ઉપનગરોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની અને હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. (તસવીરો/મનજીત ઠાકુર)

08 July, 2026 04:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્રી નાગર મંડળ- અંધેરીના હીરક જયંતી મહોત્સવની ઝલક

પહેલીવાર કોઈ નાગર મંડળનું પોતાનું ઍન્થમ વાગ્યું ને સાઈઠમું વર્ષ દમામભેર ઊજવાયું

પાંચમી જુલાઇએ શ્રી નાગર મંડળ- અંધેરીનો હીરક જયંતી મહોત્સવ અતિ ઉલ્લાસપૂર્વક યોજાઇ ગયો. મંડળના સભ્યો અને આમંત્રિત મહેમાનોએ સૂર-સંગીતથી ભરી સોહામણી સાંજ માણી. જાણીતા સૂરસમ્રાટ હેમા દેસાઈ અને આલાપ દેસાઈએ વરસાદી સુગમસંગીત અને હિન્દી ગીતોથી મંડળના સાઇઠમા જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. આવો, આ કાર્યક્રમની ઝલક માણીએ.

08 July, 2026 02:28 IST | Mumbai | Dharmik Parmar
થાણેમાં ઠેરઠેર વૃક્ષો ધરાશાયી

થાણેને થથરાવ્યું વરસાદે: ઠેકઠેકાણે ઝાડ પડ્યાં, જોઈ લો તસવીરોમાં

થાણેમાં રવિવાર તેમ જ સોમવારે પડેલા સાંબેલાધાર વરસાદે જનજીવન વેરવિખેર કરી નાખ્યું હતું. વેગવાન પવનોએ વૃક્ષો ધરાશાયી કર્યાં હતાં. હવામાન વિભાગ દ્વારા થાણે જિલ્લા માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ તેમ જ થાણેમાં ફરવા માટે જાણીતો તલાવપાળી લેક ગઈ કાલે ઓવરફ્લો થયા પછી થાણે જિલ્લા પ્રશાસને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લામાં છેલ્લા ૩ દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદ અને ૮૦થી ૯૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતા તેજ પવનને કારણે પૂર અને ભેખડો ધસી પડવાનું જોખમ વધી ગયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થાણેના કલેક્ટર ડૉ. શ્રીકૃષ્ણ પાંચાલે નાગરિકોની સુરક્ષા માટે જિલ્લાનાં તમામ કિલ્લાઓ, ડૅમ, તળાવો, નદીકિનારા અને ધોધ જેવાં પ્રવાસી સ્થળોએ જવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. અગાઉ આવાં સ્થળોએ ડૂબી જવાથી અને અકસ્માતોને કારણે થયેલી જાનહાનિને ટાંકીને કલેક્ટરે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને વહીવટી તંત્રને સહકાર આપવાની અપીલ કરી છે.

07 July, 2026 09:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
થાણેના ઘોડબંદર રોડ પર પલટી ગયેલી ટ્રક અને જે.બી. વાચ્છા સ્કૂલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પડેલું વૃક્ષ.

મુંબઈમાં મુશળધાર વરસાદે સર્જેલી તારાજીનાં દૃશ્યો

મુંબઈમાં ગઇકાલે મુશળધાર મેઘ ખાબક્યો હતો. રેડ અલર્ટ વચ્ચે અનેક ઠેકાણે તારાજી સર્જાઇ હતી. વસઇ-વિરારમાં તો રેલવેટ્રેક પર પાણી ભરાઈ ગયાં હતાં. વૃક્ષો ધરાશાયી થવાથી લઈને રસ્તા પર ટ્રાફિક-જૅમ થવાથી લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. આ રહ્યા ગઇકાલના વરસાદે સર્જેલી તારાજીનાં દૃશ્યો.

07 July, 2026 07:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફોટોઝ- સતેજ શિંદે

મુંબઈ: વસઇ-વિરાર વચ્ચે ટ્રેનસેવા ખોરવાતાં બોરિવલી સ્ટેશને પેસેન્જર્સના બેહાલ

છેલ્લા ત્રણ દિવસોથી મેઘરાજાએ મુંબઈને ઘમરોળ્યું છે. આજે પણ સવારથી જ મુંબઈમાં રેડ અલર્ટ વચ્ચે ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ ૭૦-૮૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની આગાહી આપી છે. વેસ્ટર્ન રેલવે પણ પ્રભાવિત થયાનું સામે આવ્યું છે. વસઇથી વિરાર વચ્ચે લોકલસેવા ટેમ્પરરી ધોરણે બંધ કરવામાં આવતા બોરિવલી સ્ટેશન પર પેસેન્જર્સ અટવાયેલા જોવા મળ્યા હતા. (ફોટોઝ- સતેજ શિંદે)

06 July, 2026 01:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈના મેયર ઋતુ તાવડેએ આપી હાજરી; મહિલા સાહસિકતા, નેટવર્કિંગ અને સશક્તિકરણને મળ્યો નવો આયામ

આત્મનિર્ભર નારી by Vandana Creationsનું ગ્રાન્ડ ગેટ-ટુગેધર સફળતાપૂર્વક આયોજન

મહિલા સાહસિકતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના હેતુથી Vandana Creations દ્વારા આયોજિત `Atmanirbhar Nari – Our First Grand Get-Together` કાર્યક્રમ મુંબઈના ઘાટકોપર સ્થિત ઓડિયન મોલ ખાતે ઉત્સાહભેર યોજાયો હતો. વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહિલા ઉદ્યોગસાહસિકો, પ્રોફેશનલ્સ, કલાકારો, શિક્ષણવિદો અને ગૃહિણીઓની નોંધપાત્ર ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં મુંબઈના મેયર રિતુ તાવડે સહિત મિડ-ડેના CFO રાજશ્રીબહેને હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

06 July, 2026 12:34 IST | Mumbai | Shilpa Bhanushali
વૃક્ષો ધરાશાયી થયાનાં દૃશ્યો

મુંબઈ મોન્સૂન: જુઓ ક્યાં ક્યાં પડ્યાં ઝાડ?

મુંબઈમાં ગઇકાલે મુશળધાર વરસાદ અને જોરદાર ફૂંકાયેલા પવનોને કારણે ઠેરઠેર વૃક્ષો ઊખડી પડ્યાંની ઘટના સામે આવી હતી. ઘણે ઠેકાણે વિશાળકાય ઝાડની મસમોટી ડાળખીઓ તૂટી પડવાની બીના પણ બની હતી. જુઓ મુંબઈમાં ક્યાં ક્યાં બન્યું આવું?

06 July, 2026 07:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉદ્ધવ ઠાકરેએ બે દિવસ પહેલા યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ આંદોલનની જાહેરાત અને કહ્યું હતું કે પાર્ટી અયોધ્યા રામ મંદિર માટે દાન અંગેના આરોપોના વિરોધમાં રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે. (તસવીરો: શાદાબ ખાન)

મુંબઈથી ઉદ્ધવ ઠાકરેનો એલ્ગાર: `રામરક્ષા` આંદોલન શરૂ કરી ભાજપ સરકારને આપી ચેતવણી

અયોધ્યા રામ મંદિર માટે દાન ચોરી અને ગેરરીતિના આરોપોના જવાબમાં શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેએ `રામરક્ષા આંદોલન` શરૂ કર્યું છે. રવિવાર, 5 જુલાઈના રોજ, શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં મુંબઈના દાદરમાં હનુમાન મંદિરમાં `રામરક્ષા મહા-આરતી`નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ સંજય રાઉત અને નેતા આદિત્ય ઠાકરે સહિત મોટી સંખ્યામાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. (તસવીરો: શાદાબ ખાન)

05 July, 2026 09:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK