પ્રતિકૂળ હવામાનને કારણે થોડા દિવસ બંધ રહેલી અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ ગઈ છે. આ વખતે કુદરતી રીતે બનતું હિમલિંગ સમય કરતાં વહેલું સંપૂર્ણપણે ઓગળી ગયું છે. યાત્રા હજી ઑગસ્ટના અંત સુધી ચાલવાની છે, પરંતુ જુલાઈના મધ્યમાં જ શિવલિંગ અદૃશ્ય થઈ જતાં ભક્તોએ માત્ર પવિત્ર ગુફા અને અન્ય સ્થળોએ નમન કરીને પાછા ફરવું પડ્યું હતું. પર્યાવરણવિદોના મતે ગ્લોબલ વૉર્મિંગ અને વધતા જતા તાપમાનને કારણે હિમલિંગ વહેલું ઓગળી ગયું છે. આ વખતે અમરનાથ યાત્રા કરી આવેલા કેટલાક મુંબઈગરા શિવભક્તો સાથે વાત કરીને મિડ-ડેએ તેમનો અનુભવ જાણ્યો
30 July, 2026 09:01 IST | Mumbai | Varsha Chitaliya