Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના આશિષ મેળવ્યા હતા.

મુંબઈ: શ્રીમદ્ રાજચંદ્ર મિશનની પર્યુષણ ઉજવણીમાં હર્ષ સંઘવી પણ જોડાયા

મુંબઈમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા પર્યુષણ મહાપર્વની ઉજવણી થઈ રહી છે. આ આઠ દિવસીય પર્યુષણ મહાપર્વને ઊજવવા ભારત તથા વિશ્વભરમાંથી હજારો ભાવિકો એકઠા થયા છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના આશિષ મેળવ્યા હતા.

15 September, 2026 02:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપક મકવાણાએ સાકારેલ કેદારનાથ રોપ-વૅની કૅબલ કાર અને શંકરસ્વરૂપ ગણેશજી

વગર ટિકિટે ગણેશજી સાથે રોપ-વૅમાં બેસી કેદારનાથ જવું છે? પહોંચી જજો આ ફૅમિલી પાસે

સાન્તાક્રુઝમાં રહેતા લુહાર-સુથાર જ્ઞાતિના ઇન્ટિરિયર ડિઝાઇનર દીપક લવજીભાઈ મકવાણા છેલ્લાં ૩૫ વર્ષથી પોતાને ઘેર ગણેશોત્સવ માટે અવનવી થીમ પર સજાવટ કરે છે. તેઓના પ્રત્યેક ડેકોરેશન ભારત સરકારની `મેક ઇન ઈન્ડિયા` પહેલને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલા હોય છે. એટલે કે દીપકભાઈ ભારતમાં જે-જે મોટા વિકાસ પ્રોજેક્ટ્સ હાથ ધરાયા છે તેની આબેહૂબ પ્રતિકૃતિ તેઓ પોતાના ઘરે સકારતા હોય છે. આ વર્ષે તેઓએ કેદારનાથ રોપ-વૅ પ્રોજેક્ટ ઊભો કર્યો છે. એક્ચ્યુઅલ સાઇઝની રોપ-વૅ કૅબલ-કારમાં બેસીને કેદારનાથ ધામની સફર વગર ટિકિટે કરવી હોય તો મકવાણા ફૅમિલીમાં પધારેલા બાપ્પાના દર્શને પહોંચી જજો. દીપકભાઈએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરેલ આ યુનિક ડેકોરેશનની વિગતો વાંચો અહીં

15 September, 2026 10:31 IST | Mumbai | Dharmik Parmar
રાહુલ વરિયાના પિતાજી ગણપતિબાપ્પાની મૂર્તિ સાથે

બાપ્પા અને પપ્પા બંને પ્રત્યેનો પ્રેમ ડેકોરેશનમાં છલકાવી દીધો આ યંગ ગુજરાતીએ

ઘાટકોપરમાં રહેતો ગુજરાતી યુવાન રાહુલ ગોકુલ વરિયા છેલ્લાં ૧૫ વર્ષથી પોતાના ઘરે ગણેશોત્સવ માટે વિવિધ થીમની સજાવટ કરે છે. આ યંગ ક્રિએટિવ આર્કિટેક્ચર પોતાના ઘરે તો ડેકોરેશન કરે જ છે સાથે અન્ય લોકોના ઘરે પણ ડેકોરેશન કરે છે. દર વર્ષે રાહુલની થીમમાં કોઈને કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટની પરિકલ્પના જોવા મળે છે. જેમ કે ડબલ ડેકર બેસ્ટ બસ, લોકલ ટ્રેન ટ્રામ, મેટ્રો ટ્રેન વગેરે. આ વર્ષે તેણે મુંબઈના રસ્તાઓ પર દિવસ-રાત દોડતી કાળી-પીળી રિક્ષાનું આબેહૂબ સ્ટ્રક્ચર ઊભું કર્યું છે અને તેની પાછળ બહુ જ લાગણીશીલ કહાની પણ જોડાયેલી છે.

15 September, 2026 07:28 IST | Mumbai | Dharmik Parmar
(તસવીરો - અતુલ કાંબળે)

મુંબઈમાં બાપ્પાના આગમન પહેલાં મેઘરાજાની સવારી! મોડી રાતથી વરસાદની શરૂઆત

હાલમાં મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ગુણેશોત્સવની ધૂમ તૈયારી ચાલી રહી છે. બાપ્પાના આગમનને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે આજે મુંબઇના પરાંઓમાં વરસાદની જોરદાર હાજરી નોંધાઈ છે. ક્યાંક બાપ્પાના આગમનની તૈયારી કરતાં ગણેશભક્તોને ખલેલ પહોંચી છે તોય છેલ્લા ઘણા દિવસથી ગાયબ થઈ ગયેલા વરસાદે દેખા દેતા મુંબઈગરા ખુશ થઈ ગયા છે. દાદર અને સાયનના આ દૃશ્યો જોઈ લો. (તસવીરો - અતુલ કાંબળે)

13 September, 2026 11:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દર વર્ષે, `લાલબાગચા રાજા`ની પ્રથમ ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. (તસવીરો: અતુલ કાંબળે)

મુંબઈ: લાલબાગ ચા રાજાનું 93 મું વર્ષ, જુઓ બાપ્પાની મૂર્તિના ભવ્ય અનાવરણની તસવીરો

મુંબઈના પ્રખ્યાત `લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ` દ્વારા શુક્રવાર, 11 સપ્ટેમ્બરના રોજ `લાલબાગચા રાજા`ની પહેલી ઝલક જાહેર કરવામાં આવી હતી. ગણેશોત્સવના તહેવારની શરૂઆતના થોડા દિવસો પહેલાં જ યોજાયેલા આ અનાવરણ સમારોહમાં મોટી સંખ્યામાં ભક્તો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરો: અતુલ કાંબળે)

11 September, 2026 09:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગણેશોત્સવ ૨૦૨૬ પહેલાં, મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જાહેરાત કરી હતી કે MSRTC ૫,૨૨૦ વધારાની બસોનું સંચાલન કરશે. તસવીરો: સતેજ શિંદે

MSRTC દ્વારા ગણેશોત્સવ ૨૦૨૬ની ભીડ જોતાં બોરીવલી ડેપો ખાતે બસોનો કાફલો તૈયાર

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) એ ગણેશોત્સવ ૨૦૨૬ દરમિયાન મુસાફરોની સંભવિત ભીડને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત મુંબઈના બોરીવલી (પૂર્વ) સ્થિત નેન્સી કોલોની ડેપો ખાતે બસોને તૈયાર કરવામાં આવી રહી છે. તસવીરો: સતેજ શિંદે

11 September, 2026 07:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગણેશ મૂર્તિ

બાપ્પા કી નિકલી સવારી, મૂર્તિયાં હૈં એક-એક સે ભારી

આવતા સોમવારે ગણપતિની સ્થાપના થઈ જવાની છે ત્યારે ગઈ કાલે અનેક સાર્વજનિક મંડળોની ગણેશમૂર્તિઓ મંડળના કાર્યકરો પરેલ વર્કશૉપમાંથી મંડપમાં વાજતેગાજતે લઈ જઈ રહ્યા હતા. 

07 September, 2026 09:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તપોયાત્રા સમયેની તસવીરો

વરલીમાં ૩૮ સિદ્ધિતપસ્વીઓની વાજતેગાજતે તપોયાત્રા નીકળી

વરલીસ્થિત શ્રી લોઢા પાર્ક જૈન સંઘ દ્વારા ૫મી સપ્ટેમ્બરે સિદ્ધિતપના તપસ્વીઓનો ગુણાનુરાગ વ્યક્ત કરવા એક ભવ્ય તપોયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

06 September, 2026 09:37 IST | Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK