મુંબઈમાં લાલબાગચા રાજાને ભાવિક ભક્તો તરફથી લાખોની ભેટ-સાગોદ ચડાવવામાં આવે છે. લાલબાગચા રાજાના વિસર્જન બાદ આજે એટલે કે 11 સપ્ટેમ્બર 2025ના રોજ મુંબઈમાં `લાલબાગચા રાજા`ને ધરાવેલી ભેટ-વસ્તુઓની હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈના જુદાં જુદાં વિસ્તારોમાંથી બાપ્પાને ધરાવાયેલ ભેટને લોકોએ ખરીદવા આવ્યા હતા. લાલબાગચા રાજા - હરાજી ચાલુ છે: સોનાની ચેઇન્સ, બાપ્પાની મૂર્તિઓ, ક્રિકેટ બેટ, સોનાના મોદક અને ઘણી બધી વસ્તુઓ જે ભક્તો દ્વારા ભગવાન લાલબાગચા રાજાને અર્પણ કરવામાં આવી છે તે અહીં હરાજી માટે મૂકાઈ છે, અહીં કેટલાક લોકોએ ખરીદેલી સોના-ચાંદીની વસ્તુઓ... (તસવીર સૌજન્ય- શિરીષ વક્તાણિયા)
11 September, 2025 08:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent