Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇલેક્શન હોવાથી અરવિંદ કેજરીવાલને જામીન મળી શકે છે : સુપ્રીમ કોર્ટનો સંકેત

ઇલેક્શન હોવાથી અરવિંદ કેજરીવાલને જામીન મળી શકે છે : સુપ્રીમ કોર્ટનો સંકેત

04 May, 2024 10:51 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મુદ્દે વિચારણા કરીને ૭ મેના રોજ પોતાનો જવાબ રજૂ કરવા EDને નિર્દેશ આપ્યો હતો.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ


સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી દરમ્યાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ને જણાવ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા વિચારી શકાય છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મુદ્દે વિચારણા કરીને ૭ મેના રોજ પોતાનો જવાબ રજૂ કરવા EDને નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દિપાંકર દત્તાની બેન્ચે જણાવ્યું હતું કે શક્ય છે કે કેજરીવાલને અમે જામીન આપીએ અને ન પણ આપીએ, પણ આ મુદ્દે અમે તમારું (EDનું) વલણ શું રહેશે એ પણ જાણવા માગીશું. દિલ્હીની આબકારી નીતિ વિશેના મની લૉન્ડરિંગના કેસમાં EDએ ૨૧ માર્ચના રોજ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 10:51 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK