તેજસ્વીએ સોશ્યલ મીડિયામાં વિડિયો પોસ્ટ કરીને ધર્મના નામે મત માગ્યા એ મુદ્દે જયનગર પોલીસ-સ્ટેશનમાં કર્ણાટકના ચૂંટણી-અધિકારીઓએ કેસ નોંધાવ્યો હતો
તેજસ્વી સૂર્યા
કર્ણાટકમાં ચૂંટણી-અધિકારીઓએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના બે નેતાઓ સામે કેસ નોંધ્યો છે. બૅન્ગલોર સાઉથ લોકસભા બેઠકના પાર્ટીના ઉમેદવાર તેજસ્વી સૂર્યા સામે ધર્મના નામે મત માગવાનો આરોપ મુકાયો છે, જ્યારે સી. ટી. રવિ નામના કાર્યકર સામે લોકો વચ્ચે નફરત અને દુશ્મની ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
તેજસ્વી સૂર્યા સામે ૨૫ એપ્રિલે કેસ નોંધવામાં આવ્યો હતો. તેજસ્વીએ સોશ્યલ મીડિયામાં વિડિયો પોસ્ટ કરીને ધર્મના નામે મત માગ્યા એ મુદ્દે જયનગર પોલીસ-સ્ટેશનમાં કર્ણાટકના
ચૂંટણી-અધિકારીઓએ કેસ નોંધાવ્યો હતો. બીજી તરફ BJPના નેતા સી. ટી. રવિએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા લોકોમાં નફરત અને દુશ્મની ફેલાવવાનો પ્રયાસ કર્યો છે એવો આરોપ મૂકીને ચૂંટણી-અધિકારીઓએ તેમની સામે બસવનહલ્લી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રવિ સામે ચિકમગલૂરના ચૂંટણી-અધિકારીઓએ ફરિયાદ કરી હતી.