મંગળવારે કંપનીએ એક નિવેદન જાહેર કરીને ગ્રુપને બે ભાગમાં વહેંચવાના નિર્ણયની જાહેરાત કરી હતી.
અદી ગોદરેજ , જમશેદ ગોદરેજ
ઉદ્યોગજગતના મોખરાના પરિવાર ગણાતા ૧૨૭ વર્ષ જૂના ગોદરેજ ગ્રુપના ભાગલા થયા છે. મંગળવારે કંપનીએ એક નિવેદન જાહેર કરીને ગ્રુપને બે ભાગમાં વહેંચવાના નિર્ણયની જાહેરાત કરી હતી. ગ્રુપનો એક હિસ્સો ૮૨ વર્ષના અદી ગોદરેજ અને તેમના ભાઈ નાદિરના ભાગે આવ્યો છે, જ્યારે બીજો હિસ્સો અદી ગોદરેજના કાકાના ભાઈ જમશેદ અને બહેન સ્મિતા ગોદરેજના ભાગે આવ્યો છે.
ગોદરેજ ગ્રુપ : કોના ભાગે શું આવ્યું?
અદી અને નાદિરે ગોદરેજ ઇન્ડસ્ટ્રી પોતાની પાસે રાખી છે, જેમાં પાંચ લિસ્ટેડ કંપની છે.
જમશેદ અને સ્મિતાના ભાગમાં અન-લિસ્ટેડ કંપની ગોદરેજ ઍન્ડ બૉય્ઝ તથા મુંબઈમાં ૩૪૦૦ એકર જમીન સહિતની સંપત્તિ આવી છે.
ADVERTISEMENT
ગોદરેજ ગ્રુપની લિસ્ટેડ કંપનીઓમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર, ગોદરેજ પ્રૉપર્ટીઝ, ગોદરેજ ઍગ્રોવેટ અને એસ્ટેક લાઇફસાયન્સનો સમાવેશ થાય છે. નાદિર ગોદરેજ એના ચૅરમૅન રહેશે.
અદી ગોદરેજનો ૪૨ વર્ષનો પુત્ર પિરોજશા ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટનું પદ સંભાળશે. પિરોજશા ઑગસ્ટ ૨૦૨૬માં નાદિરનું સ્થાન લેશે.