કલકત્તામાં આજે BJPના વિધાનસભ્યોની બેઠકમાં નક્કી થશે ભાવિ મુખ્ય પ્રધાન
મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના રાજ્યપાલે ગઈ કાલે રાજનીતિ સાથે સંકળાયેલો એક ઐતિહાસિક અને સંવિધાનિક નિર્ણય લીધો હતો. ૭ મેએ વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થતો હોવાથી રાજ્યપાલ આર. એન. રવિએ વિધાનસભા ભંગ કરવાની નોટિસ જાહેર કરી હતી. આ જાહેરાત પછી હવે મમતા બૅનરજી પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન નથી રહ્યાં. તૃણમૂલ કૉન્ગ્રેસનું ૧૫ વર્ષ જૂનું રાજ આ સાથે ખતમ થયું હતું.
કલકત્તા ગૅઝેટમાં બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર રાજ્યપાલે વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ૭ મે એટલે કે ગઈ કાલે લાગુ પડ્યો હતો. હવે રાજ્યમાં જૂની વિધાનસભા બચી નથી અને મમતા બૅનરજી મુખ્ય પ્રધાનપદ પર નથી રહ્યાં. નોટિફિકેશનમાં ભારતીય સંવિધાનની કલમ ૧૭૪(૨)(b) અંતર્ગત મળેલા પાવરનો ઉપયોગ કરીને રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી હોવાનું જણાવાયું છે.
