અહેવાલો અનુસાર, ઈરાને આ હુમલો કરી તેને ચેતવણી ગણાવી છે. ઓમાનના દરિયાકાંઠે હુમલો ત્યારે થયો જ્યારે જહાજ કથિત રીતે હોર્મુઝ સ્ટ્રેટમાં ‘અનધિકૃત માર્ગ’માંથી પસાર થઈ રહ્યું હતું. તેના થોડા સમય પછી, ઈરાને આ જળમાર્ગને બંધ કરવાની જાહેરાત કરી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઓમાનના દરિયાકાંઠે રવિવારે સાયપ્રસ ધ્વજવાળા કમર્શિયલ જહાજ GFS ગૅલેક્સી પર થયેલા હુમલાની ભારતે સખત નિંદા કરી છે. વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું હતું કે સવાર 11 ભારતીય નાગરિકોમાંથી 10 ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય નાવિક ગુમ છે. તેને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. MEA અનુસાર, ઘટના પછી તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઓમાનમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ઓમાની અધિકારીઓ સાથે સક્રિય રીતે સંકલન કરી રહ્યું છે. ભારતે આ મુશ્કેલ સમયમાં ઓમાની સરકારના સહયોગ બદલ આભાર પણ વ્યક્ત કર્યો છે.
હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી
ADVERTISEMENT
અહેવાલો અનુસાર, ઈરાને આ હુમલો કરી તેને ચેતવણી ગણાવી છે. ઓમાનના દરિયાકાંઠે હુમલો ત્યારે થયો જ્યારે જહાજ કથિત રીતે હોર્મુઝ સ્ટ્રેટમાં ‘અનધિકૃત માર્ગ’માંથી પસાર થઈ રહ્યું હતું. તેના થોડા સમય પછી, ઈરાને આ જળમાર્ગને બંધ કરવાની જાહેરાત કરી. હુમલા બાદ જહાજમાં આગ લાગી ગઈ, જેના કારણે ક્રૂને જહાજ છોડી દેવાની ફરજ પડી. ઈરાને ચેતવણી આપી છે કે આ ઘટનાના જવાબમાં લેવામાં આવેલી કોઈપણ લશ્કરી કાર્યવાહીનો કડક જવાબ આપવામાં આવશે.
અમેરિકાએ ઈરાન પર નવા હુમલા કર્યા
આ ઘટના બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધુ વધ્યો છે. બદલો લેવા માટે અમેરિકાએ ઈરાની મિસાઈલ અને ડ્રોન સ્થળો, નૌકાદળની સંપત્તિ, દારૂગોળા ડેપો, મૅસેજ સિસ્ટમ અને દરિયાકાંઠાના મોનીટરીંગ કેન્દ્રોને નિશાન બનાવીને નવા લશ્કરી હુમલા શરૂ કર્યા છે. અમેરિકાએ કરેલી કાર્યવાહીમાં આશરે 140 ઈરાની લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં અમેરિકાએ 300 થી વધુ લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા.
ભારતે તણાવ ઘટાડવા માટે હાકલ કરી
Our statement on the attack on a commercial vessel off the coast of Oman ⬇️
— Randhir Jaiswal (@MEAIndia) July 12, 2026
? https://t.co/JtqdfO6iJ0 pic.twitter.com/V6jD6zJOtx
વિદેશ મંત્રાલયે કમર્શિયલ જહાજો પર કરવામાં આવતા સતત હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રદેશમાં તણાવ તાત્કાલિક ઓછો કરવો જોઈએ અને ચાલુ રાજદ્વારી વાટાઘાટોથી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે શાંતિપૂર્ણ અને તર્કસંગત ઉકેલ લાવવાની જરૂર છે. ભારતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કમર્શિયલ જહાજો અને નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાનું બંધ કરવું જોઈએ. મંત્રાલયે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, શક્ય તેટલી વહેલી તકે તમામ આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર મુક્ત અને અવરોધ રહિત નૅવિગેશન અને કમર્શિયલ પ્રવૃત્તિઓ પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
ઈરાને અમેરિકન બેઝને નિશાન બનાવ્યા
IRGC અનુસાર, આ મિસાઈલોનો ઉપયોગ જોર્ડન અને બહેરીન સહિત અમેરિકન લશ્કરી થાણાઓને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો. ઘન-બળતણ મિસાઈલો ઝડપી પ્રક્ષેપણનો ફાયદો આપે છે, જ્યારે પ્રવાહી-બળતણ મિસાઈલો લાંબા અંતર સુધી પ્રક્ષેપણ કરવામાં સક્ષમ છે. જાહેર કરાયેલા ફૂટેજમાં મિસાઈલો લૉન્ચ અને તેમના લક્ષ્યો પર હુમલો કરતી દર્શાવવામાં આવી છે. પેટ્રિઓટ જેવી અમેરિકન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ આ મિસાઈલોને રોકવાનો પ્રયાસ કરે છે, ત્યારે મેન્યુવરેબલ વોરહેડ્સનો ઉપયોગ અને એક સાથે બહુ-મિસાઈલ હુમલાઓ આવી સંરક્ષણ પ્રણાલીઓ માટે નોંધપાત્ર પડકારો ઉભા કરી શકે છે.
